પ્રતિબંધ બાદ PFIના સચિવે આપી પ્રતિક્રીયા, કહ્યું- દેશના કાયદાનુ પાલન કરીશુ, સંગઠનને આ ફેંસલો મંજુર
કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર લગામ લગાવી રહી હતી. દરમિયાન, બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. ત્યારથી દેશભરમાં તેમની ઓફિસો બંધ છે. આ સ
કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર લગામ લગાવી રહી હતી. દરમિયાન, બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. ત્યારથી દેશભરમાં તેમની ઓફિસો બંધ છે. આ સાથે તેને લગતા હોર્ડિંગ-પોસ્ટર્સ પણ હટાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેરળમાં PFI સ્ટેટ સેક્રેટરી અબ્દુલ સત્તારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સતારીએ કાર્યકરોને કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી. આ અપીલ બાદ રાજ્યના સચિવની ધરપકડ કરવામાં આવી હતી.
ફેસબુક પર કરી પોસ્ટ
સત્તારીએ ફેસબુક પર પોસ્ટ કર્યું કે તમામ પીએફઆઈ સભ્યો અને લોકોને જાણ કરવામાં આવે છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને ભંગ કરવામાં આવ્યું છે. MHAએ PFI પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આપણા મહાન દેશના કાયદાનું પાલન કરતા નાગરિકો તરીકે, સંસ્થા આ નિર્ણયને સ્વીકારે છે. તે જ સમયે, પોસ્ટના થોડા સમય પછી, કેરળ પોલીસે તેની અલપ્પુઝાથી ધરપકડ કરી હતી.
ઘણા દિવસોથી હતા ફરાર
જાણકારી અનુસાર, થોડા દિવસો પહેલા NIAએ દેશભરમાં દરોડા પાડ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં PFI વર્કર્સની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 23 સપ્ટેમ્બરના રોજ સંગઠને રાજ્યવ્યાપી હડતાળનું એલાન કર્યું. આ દરમિયાન ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. સત્તારી પર હિંસામાં સામેલ હોવાનો પણ આરોપ છે. પોલીસ ઘણા દિવસોથી તેને શોધી રહી હતી, પરંતુ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેને ટૂંક સમયમાં NIAને સોંપવામાં આવી શકે છે.
કેરળમાં સૌથી વધુ લોકો ગિરફ્તાર
ગયા અઠવાડિયે NIAએ દેશના 15 રાજ્યોમાં 93 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપનારા 100થી વધુ પીએફઆઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 22 ધરપકડ કેરળમાંથી કરવામાં આવી છે.