બીરભૂમ હિંસા મામલે CBI તપાસની માંગ પર કોલકત્તા હાઈકોર્ટમાં આજે ચુકાદો
આજે કોલકત્તા હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે કે શું આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ કે નહિ.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં જે રીતે આઠ લોકોને ઘરમાં સળગાવીને મારી નાખવામાં આવ્યા તે બાદથી બંગાળમાં આ ઘટના સામે પ્રદર્શન થઈ રહ્યા છે. 22 માર્ચે બનેલી આ ઘટનામાં મહિલાઓ અને બાળકોને પણ આગળમાં હોમી દેવામાં આવ્યા. આ ઘટના પહેલા ટીએમસીના એક નેતાની એક દિવસ પહેલા હત્યા કરી દેવામાં આવી હતી, જેના આગલા દિવસે જ આ ઘટના સામે આવી. આ ઘટના પર આજે કોલકત્તા હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે કે શું આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ કે નહિ.
તમને જણાવી દઈએ કે બીરભૂમની આ ઘટનામાં બે બાળકો અને એક નવપરિણીત જોડાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. ઑટોપ્સી રિપોર્ટ મુજબ પીડિતોના સળગાવતા પહેલા મારી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી અને 20 લોકોની ધરપકડ કરી. સાથે જ પીડિત પરિવારને 5 લાખ રુપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ. વળી, આ કેસમાં કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આજે 2 વાગે આ કેસની સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યુ છે.
કોર્ટે નિર્દેશ આપ્યા છે કે ડિસ્ટ્રીક્ટ જજની હાજરીમાં ઘટના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી ત્યાં થતી ઘટનાઓ પર 24 કલાક નજર રાખી શકાય. સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે કેસમાં નજરે જોનારા સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પક્ષ કોલકત્તા હાઈકોર્ટમાં ગયા હતા. ભાજપે કોર્ટને કહ્યુ હતુ કે તે નિર્ણય કરે કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઈએ કે નહિ. કોર્ટ આજે આના પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.