CM યોગીના ખંભા પર હાથ રાખીને PM મોદીએ શું કહ્યું હતું?
ગુરુવારે સીતાપુરમાં આયોજિત બૂથ પ્રમુખ સંમેલનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા સીએમ યાગી આદિત્યનાથે પોતાનો અને વડાપ્રધાન મોદીનો એક ફોટો ટ્વીટ કર્યો હતો.
ગુરુવારે સીતાપુરમાં આયોજિત બૂથ પ્રમુખ સંમેલનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા સીએમ યાગી આદિત્યનાથે પોતાનો અને વડાપ્રધાન મોદીનો એક ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં પીએમ તેમના ખંભા પર હાથ રાખીને તેમને કંઈક કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે ફોટો વાયરલ થતા જ લોકો પરેશાન થઈ ગયા કે તેઓએ યોગીજીના કાનમાં શું કહ્યું. રાજનાથ સિંહે કહ્યું કે પીએમએ કહ્યું કે યોગીજી ઝડપી બેટિંગ કરો. લગનથી રમો, વિજય નિશ્ચિત છે.
આ પહેલા રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે અમારા મેનિફેસ્ટોમાં એવી કોઈ વાત ન હોવી જોઈએ જેને આપણે પૂર્ણ ન કરી શકીએ. કોઈપણ પક્ષના કોઈ નેતાને આવી ચિંતા નથી. લોકો કહે છે કે મેનિફેસ્ટોમાં જે પણ મુકવું હોય તે મુકો અને જનતાની આંખમાં ધુળ નાંખી સત્તા મેળવો, પરંતુ અમે આવી સત્તાને સ્પર્શ કરવાનું પણ પસંદ નહિ કરીએ. અમે જનતાની આંખમાં ધૂળ નાખીને રાજનીતિ કરવા નથી માગતા, પરંતુ જનતાની આંખમાં આંખ નાખીને રાજનીતિ કરવા માગીએ છીએ. સીતાપુરની ટીડી પીજી કોલેજના ઉમાનાથ સિંહ સ્ટેડિયમમાં આયોજિત ભાજપના આ બૂથ સંમેલનમાં અવધ પ્રદેશના 15 જિલ્લાના લગભગ 40 હજાર બૂથ પ્રમુખોએ ભાગ લીધો હતો.
हम निकल पड़े हैं प्रण करके
— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2021
अपना तन-मन अर्पण करके
जिद है एक सूर्य उगाना है
अम्बर से ऊँचा जाना है
एक भारत नया बनाना है pic.twitter.com/0uH4JDdPJE
રાજનાથ સિંહે કહ્યું કે, આજે હું તમારા બધાનો ઉત્સાહ જોઈ રહ્યો છું, હું તમારી અંદર જે ચમક જોઉં છું તેના માટે તમારો આભાર, પાર્ટી તમને અભિનંદન આપે છે, તમે અમારી તાકાત છો, તમે અમારી પાર્ટીનો પ્રાણ છો. રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત-ચીન બોર્ડરનું તાપમાન કે જેના પર મને રેઝંગલા જવાથી રોકવામાં આવી રહ્યો છે, ત્યાં -20 ડિગ્રી તાપમાન છે. પરંતુ જે સૈનિકો આવા વિષમ સંજોગોમાં ઊભા રહીને દેશની સરહદની રક્ષા કરે છે, મને ત્યાં જતા કોઈ રોકી શકશે નહીં. આ આધ્યાત્મિકતાની ભૂમિ છે, આ દેશની રક્ષા કરનારા કેપ્ટન મનોજ પાંડેની ભૂમિ છે, આજે અહીં આ ધરતી પર બૂથ પ્રમુખોનું સંમેલન યોજાઈ રહ્યું છે. હું કહી શકું છું કે આ વખતે પણ ભાજપને બે તૃતીયાંશ બહુમતીથી જીતવાથી કોઈ રોકી શકશે નહીં.
તમને જણાવી દઈએ કે રાજનાથ સિંહને અવધ અને કાશી ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગોરખપુર અને કાનપુરમાં બૂથ પ્રમુખોના સંમેલનને સંબોધિત કરી ચૂક્યા છે. અવધ પ્રદેશના સંમેલનમાં તે બેઠકો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે જે 2017માં ભાજપ જીતી શકી ન હતી. તે બેઠકો માટે ભાજપે અલગ રણનીતિ બનાવી છે.