શું છે ગરીબ કલ્યાણ અન્ન યોજના? 80 કરોડ લોકોને માર્ચ 2022 સુધી મળશે મફત અનાજ
માર્ચ 202 માં કોરોના સંકટ અને લોકડાઉન દરમિયાન સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) શરૂ કરી, જે હેઠળ દર મહિને 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે આ યોજનાનો વિસ્તાર કર્યો
માર્ચ 202 માં કોરોના સંકટ અને લોકડાઉન દરમિયાન સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) શરૂ કરી, જે હેઠળ દર મહિને 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે આ યોજનાનો વિસ્તાર કર્યો છે અને હવે તેને 2022 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સાથે આ યોજનાને માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

2022 સુધી મફત અનાજ
સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચ 2022 સુધી લંબાવી છે. આ યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો મફત રાશન આપવામાં આવે છે. આ યોજનાની મુદત 30 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી, પરંતુ હવે તેને આગામી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક પરિવારને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.

શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?
સરકારે આ યોજના કોરોના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉન પછી શરૂ કરી હતી. કેન્દ્ર સરકારે PM ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) શરૂ કરી છે જેથી કરીને કોઈ ગરીબ ભૂખ્યો ન સૂઈ શકે. આ યોજના માટે સરકારે 1.70 કરોડની રકમ ફાળવી હતી. આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર મહિને મફત રાશન આપવામાં આવે છે. આ અંતર્ગત ગરીબોને 5 કિલો ઘઉં ચોખા, 1 કિલો દાળ મફતમાં આપવામાં આવે છે. તમામ રાશન ધારકોને ડબલ રાશન આપવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડ ધારકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ તે લોકો માટે ઉપલબ્ધ છે, જેમની સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખવામાં સક્ષમ છે.

અહીં કરો ફરીયાદ
જો તમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો તો તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ યોજના હેઠળ, જો તમને મફત અનાજ નથી મળી રહ્યું અથવા રાશન એજન્સી તમને આપવાનો ઇનકાર કરી રહી છે, તો તમે સરકારના ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અથવા 1967 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો.
જો તમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો તો તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ યોજના હેઠળ, જો તમને મફત અનાજ નથી મળી રહ્યું અથવા રાશન એજન્સી તમને આપવાનો ઇનકાર કરી રહી છે, તો તમે સરકારના ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અથવા 1967 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
