લોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ
2019ની લોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલ જાણતા પહેલા એ જાણવુ જરૂરી છે કે 2014ના એક્ઝીટ પોલના પરિણામ કેવા હતા અને કોનો આંકડો સૌથી પરફેક્ટ નીકળ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન આજે ખતમ થઈ જશે. સાંજે 6 વાગે મતદાન ખતમ થયા બાદ બધાના મનમાં એક જ સવાલ ઉઠવા લાગશે કે છેવટે 23મેના રોજ કોના હાથમાં સત્તાની ચાવી આવશે. કોણ સરકાર બનાવશે. છેવટે સરકાર કોની બનશે, શું મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે કે પછી કોંગ્રેસ એક વાર ફરીથી જબરદસ્ત કમબેક કરશે કે પછી રાજકીય ગણિતથી ત્રીજા મોરચાની સંભાવના બનશે. આ બધા માટે બધાની નજરો એક્ઝીટ પોલ પર રહેશે. આજે સાંજથી ન્યૂઝ ચેનલો પર એક્ઝીટ પોલ આવી જશે અને 23 મેએ કોની સત્તા આવશે તેના સંકેત મળવા શરૂ થઈ જશે.

2014 એક્ઝીટ પોલની સ્થિતિ
2019ની લોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલ જાણતા પહેલા એ જાણવુ જરૂરી છે કે 2014ના એક્ઝીટ પોલના પરિણામ કેવા હતા અને કોનો આંકડો સૌથી પરફેક્ટ નીકળ્યો હતો. 2014ના એક્ઝીટ પોલ્સની વાત કરીએ તો દરેક સર્વેમાં ભાજપને સૌથી મોટી પાર્ટી તરીકે બતાવવામાં આવી હતી જ્યારે એનડીએને સત્તામાં કમબેકના દાવા કરવામાં આવ્યા હતા. દરેક એક્ઝીટ પોલમાં કોંગ્રેસને નુકશાન સાથે બતાવવામાં આવી હતી જ્યારે સ્થાનિક પક્ષો એઆઈએડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસને 20થી વધુ સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો. આવો નજર નાખીએ વર્ષ 2014ના એક્ઝીટ પોલ્સના આંકડાઓ પર...

2014ના ટાઈમ્સ નાઉ-ઓઆરસી એક્ઝીટ પોલ
ટાઈમ્સ નાઉએ વર્ષ 2014ના એક્ઝીટ પોલમાં એનડીએને 257, યુપીએને 135 અને અન્યને 151 સીટ મળવાનો દાવો કર્યો. વળી સીએનએન-આઈબીએન-સીએસડીએસ એ ભાજપને 236 સીટો સાથે એનડીએને બહુમતમાં બતાવ્યા હતા. વળી, આ સર્વેમાં કોંગ્રેસને 77 અને યુપીએને 97 સીટો અને અન્યને 170 સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો. વળી, એબીપી ન્યૂઝ-નીલસને પોતાના એક્ઝીટ પોલમાં એનડીએને 281 અને યુપીએને 97 સીટે મળવાની સંભાવ્યા વ્યક્ત કરી હતી.

એનડીએ સૌથી મોટી પાર્ટી
વર્ષ 2014ના એક્ઝીટ પોલમાં ન્યૂઝ-24 ટુડે ચાણક્યના સર્વેએ ભાજપને પૂર્ણ બહુમત આપ્યો હતો, આમાં ભાજપને 291 અને એનડીએ-340 સીટો સાથે પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો. ન્યૂઝ 24 ટુડે ચાણક્યનો સર્વો સૌથી પરફેક્ટ સાબિત થયો હતો. વળી, સી વોટર્સ-ઈન્ડિયા ટીવીના સર્વેની વાત કરીએ તો તેણે ભાજપને 249, એનડીએ 289, કોંગ્રેસને 78 અને યુપીએને 101 સીટો આપી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
