Haryana Election 2024 : હરિયાણા જીતીને કોંગ્રેસ પહેલુ પગલુ શું ભરશે? જાણો શું કહ્યું યોગેન્દ્ર યાદવે?
Haryana Assembly Election 2024 : હરિયાણામાં મતદાન પહેલા જ ચર્ચા છે કે ચૂંટણી એકતરફી થઈ ગઈ છે અને કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે.
આ વાતને દોહરાવતા જાણીતા ચૂંટણી વિશ્વેષક યોગેન્દ્ર યાદવે મોટો દાવો કર્યો છે. તેમણે એવા ત્રણ કામ ગણાવી દીધા છે જે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવતા જ કરાશે.

યોગેન્દ્ર યાગવે હરિયાણા સરકારને લૂંટ, જુઠ અને ફૂટની સરકાર ગણાવી અને એવી ત્રણ સંભાવના ગણાવી જે બીજેપીની ઉંઘ હરામ કરી શકે છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, હું હાથ જોડીને હરિયાણા સરકારને બદલી દેવા વિનંતી કરૂ છુ. દક્ષિણ હરિયાણા જુઠ્ઠાણા, લૂંટ અને વિભાજનનો શિકાર છે. જૂઠાણાની સરકાર છે. પીએમ મોદીએ રેવાડીથી જ વડાપ્રધાન બનવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પીએમ મોદીએ ઘણા વચનો આપ્યા, પરંતુ બદલામાં અગ્નવીર યોજના આપી દીધી.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, પીએમ મોદીએ 20 વર્ષની નોકરી ખતમ કરી અને ચાર વર્ષની કોન્ટ્રાક્ટ નોકરી આપી. વર્ષે આ વિસ્તારમાંથી દોઢથી બે હજાર હતા તે ઘટીને ચાર-પાંચસો થઈ ગયો. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી અગ્નિવીર યોજના ખતમ કરી દેેશે.
યોગેન્દ્ર યાદવે હરિયાણામાં કહ્યું કે, દક્ષિણ હરિયાણા લૂંટનો શિકાર છે. આ કોઈ ડાંગરનો પ્રદેશ નથી, આ બાજરી, સરસવ અને કેટલાક ઘઉંનો પ્રદેશ છે. ક્યારેક ખેડૂતોને પાકના ભાવ મળે છે તો ક્યારેક મળતા નથી. બીજેપી ભિખની જેમ પૈસા આપે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી આપશે.
તેમણે કહ્યું કે, જુઠ્ઠાણા અને લૂંટનો મુકાબલો કરી શકાય છે પરંતુ ભાઈઓને લડાવનારનો કોઈ મુકાબલો નથી. ભાજપે હરિયાણામાં હિંદુ-મુસ્લિમની રમત સાથે 35 Aની રમત પણ રમી છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ભાજપે હરિયાણામાં લોકોને જાટ વિરુદ્ધ ઉશ્કેર્યા છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપ યાદવો વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. આ પછી તેમણે ચૂંટણીને લઈને ત્રણ શક્યતાઓ પણ જણાવી.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, આ ચૂંટણીમાં ત્રણ શક્યતાઓ છે. પ્રથમ આખા હરિયાણામાં કોંગ્રેસનો પવન ફૂંકાશે અને તેને બહુમતી મળશે. બીજી શક્યતા એ છે કે હરિયાણામાં પવનને બદલે કોંગ્રેસનું તોફાન આવશે અને ત્રીજી શક્યતા એ છે કે કોંગ્રેસનું તોફાન નહીં પણ સુનામી આવશે.












Click it and Unblock the Notifications
