Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કતારની જેલમાંથી મુક્ત કરાયેલા 8 નૌકાદળના પૂર્વ સૈનિકો કોણ છે? ભારતની રાજદ્વારી જીતની ચારે તરફ ચર્ચા

Indian Navy Veterans: ભારતને એક મોટી રાજદ્વારી જીત મળી છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કતારમાં ફાંસીની સજા મેળવેલ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી સાત લોકો ભારત પરત ફર્યા છે.

આ તમામ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના નૌસૈનિકોને કતારની અદાલતે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે (12 ફેબ્રુઆરી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઠ ભારતીય નાગરિકોમાંથી સાત પહેલાથી જ ભારત પરત ફર્યા છે.

Navy Veterans

ભારતની વિનંતી પર કતારે તેમની સજાને પહેલાથી જ આજીવન કેદમાં ફેરવી દીધી હતી. પરંતુ હવે તમામને મુક્ત કરવામાં આવ્યા છે. ભારત પરત ફરેલા તમામ સાત પૂર્વ નૌસૈનિક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Who are the 8 Indian Navy veterans? 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિક કોણ છે?

કતાર જેલમાંથી મુક્ત થયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોના નામ છે કેપ્ટન નવતેજ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, અમિત નાગપાલ, એસકે ગુપ્તા, બીકે વર્મા, સુગુનાકર પાકલા અને નાવિક રાગેશ. આ તમામ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકને ઓગસ્ટ 2022માં અજાણ્યા આરોપો પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જે બાદ ઓક્ટોબર 2023માં તેમને જાસૂસીના આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી હતી.

ગયા વર્ષે 28 ડિસેમ્બરે, કતારની અપીલ કોર્ટે ભારત સરકારની વિનંતીને પગલે મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો હતો. જે પછી દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ સાથે કામ કરતા આઠ લોકોને ત્રણ વર્ષથી લઈને 25 વર્ષ સુધીના વિવિધ સમયગાળા માટે જેલની સજા ફટકારવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્ણેન્દુ તિવારીને 25 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી જ્યારે રાગેશને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ચાર ભૂતપૂર્વ નેવી અધિકારીઓને 15 વર્ષની જેલની સજા અને અન્ય બેને 10 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યુ કે દોહા સ્થિત અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ, એક ખાનગી કંપની, કતારના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.

આ આઠ નિવૃત્ત સૈનિકોમાંથી, કેપ્ટન નવતેજ ગિલને શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રપતિનો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. કેપ્ટન નવતેજ ગિલ જ્યારે નેવલ એકેડેમીમાંથી સ્નાતક થયા અને બાદમાં તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજમાં પ્રશિક્ષક તરીકે સેવા આપી ત્યારે તેમને આ સન્માન પ્રાપ્ત થયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X