મધ્યપ્રદેશમાં કોની સરકાર? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
તોડફોડની સરકાર ચલાવ્યા બાદ હવે બીજેપી મધ્યપ્રદેશમાં સરકાર બચાવવા મેદાને પડી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનથી મધ્યપ્રદેશમાં બીજેપી માટે સત્તા બચાવવી મુશ્કેલ બની છે તે સ્થિતીમાં હવે નવો સર્વે સામે આવ્યો છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. આ વખતે આ ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. છેલ્લી ચૂંટણીઓમાંથી શીખીને કોંગ્રેસ બીજેપીને માત આપવા માટે પુરી તૈયારીમાં છે.

હાલમાં જ ટાઈમ્સ નાઉ નવભારત ઈટીજીએ તેના ઓપિનિયન પોલમાં આગામી વિધાનસભા ચૂંટણીના સંભવિત પરિણામોની આગાહી કરી છે. આ સર્વે અનુસાર, બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષો તૈયાર છે અને બંને પક્ષોને 42 ટકાથી વધુ વોટ શેર મળવાની ધારણા છે.
મધ્યપ્રદેશના ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીને 42.80 ટકા વોટશેર સાથે લગભગ 102-110 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસને 43.80 ટકા વોટશેર સાથે 118-128 બેઠકો મળવાની ધારણા છે. બાકીની પાર્ટી 13.40 ટકા વોટશેર સાથે લગભગ 0-2 બેઠકો જીતી શકે છે.
આ સર્વે અનુસાર, નિમારમાં કોંગ્રેસને 41 થી 45 બેઠકો જીતવાનો અંદાજ છે, જ્યારે બીજેપી માંડ 20 થી 24 બેઠકો જીતી રહી છે. મહાકૌશલમાં બીજેપી આગળ છે અને તેને 18 થી 22 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 16 થી 20 બેઠકો મળવાની સંભાવના છે.
ગ્વાલિયર ચંબલમાં કોંગ્રેસ 26 થી 30 બેઠકો સાથે બીજેપી કરતાં ઘણી સારી સ્થિતિમાં છે. બીજેપી અહીં માંડ 4 થી 8 બેઠકો જીતી રહી છે. આ સર્વે પર વિશ્વાસ કરીએ તો મધ્યપ્રદેશમાં બીજેપીને બિસ્તરા પોટલા ભરવા પડી શકે છે.
આ સિવાય મધ્ય એમપીમાં બીજેપી 22 થી 24 બેઠકો મળી રહી છે. અહીં કોંગ્રેસને 12 થી 14 બેઠકો મળવાની ધારણા છે. વિંધ્યમાં ભાજપને 19 થી 21 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 8 થી 10 બેઠકો મળવાની ધારણા છે.
બુંદેલખંડમાંની વાત કરીએ તો બીજેપીને 13 થી 15 બેઠકો મળવાની ધારણા છે અને કોંગ્રેસને 11 થી 13 બેઠકો મળી શકે છે.
મધ્યપ્રદેશમાં છેલ્લી ચૂંટણી 2018 માં 28 નવેમ્બર 2018ના રોજ એક જ તબક્કામાં તમામ 230 બેઠકો માટે યોજાઈ હતી. મત ગણતરી 11 ડિસેમ્બર 2018ના રોજ થઈ હતી. કોંગ્રેસ નેતા કમલનાથે 2018માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
જો કે 15 મહિના પછી, પાર્ટીના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાને પગલે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદ કમલનાથે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત રાજ્યના સીએમ બન્યા હતા.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો










Click it and Unblock the Notifications
