મણિપુરના રાજા શા માટે ભૂખ હડતાલ પર છે?

રાજાના સહયોગીઓનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય વર્ષ 2006માં શાહી પરિવાર અને રાજ્ય સરકારની વચ્ચે થયેલી સમજુતીનું ઉલ્લંઘન છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે શાહી મહેલ અને તેની આસપાસની જમીનને સરકાર વિરાસત સ્થળ તરીકે વિકસાવવા માંગે છે.
આ કારણે સરકારના નિર્ણયના વિરોધમાં રાજા સાનાજોબે સોમવારે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે.બે દિવસ પહેલા રાજ્ય કેબિનેટે રાજધાની ઇમ્ફાલમાં બનેલા સાના કોનુંગ મહેલનું અધિગ્રહણ કરવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે રાજાના સલાહકાર પુયામ તોમચાનું કહેવું છે કે "રાજાની સાથે છેતરપિંડી થઇ છે. કારણ કે સરકારે વર્ષ 2006માં કરવામાં આવેલી સમજુતિનું ઉલ્લંઘન કર્યું છે. આ સમજુતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહેલ અંગેનો કોઇ પણ નિર્ણય રાજાની મંજૂરી વિના લેવામાં આવશે નહીં."
બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કેમહેલનું રિનોવેશન કરાવીને સરકાર તેને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે. સરકાર રાજા માટે એક વૈકલ્પિક નિવાસ પણ ઉપલબ્ધ કરાવવાની છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
