મણિપુરના રાજા શા માટે ભૂખ હડતાલ પર છે?

રાજાના સહયોગીઓનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય વર્ષ 2006માં શાહી પરિવાર અને રાજ્ય સરકારની વચ્ચે થયેલી સમજુતીનું ઉલ્લંઘન છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે શાહી મહેલ અને તેની આસપાસની જમીનને સરકાર વિરાસત સ્થળ તરીકે વિકસાવવા માંગે છે.
આ કારણે સરકારના નિર્ણયના વિરોધમાં રાજા સાનાજોબે સોમવારે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે.બે દિવસ પહેલા રાજ્ય કેબિનેટે રાજધાની ઇમ્ફાલમાં બનેલા સાના કોનુંગ મહેલનું અધિગ્રહણ કરવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે રાજાના સલાહકાર પુયામ તોમચાનું કહેવું છે કે "રાજાની સાથે છેતરપિંડી થઇ છે. કારણ કે સરકારે વર્ષ 2006માં કરવામાં આવેલી સમજુતિનું ઉલ્લંઘન કર્યું છે. આ સમજુતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહેલ અંગેનો કોઇ પણ નિર્ણય રાજાની મંજૂરી વિના લેવામાં આવશે નહીં."
બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કેમહેલનું રિનોવેશન કરાવીને સરકાર તેને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે. સરકાર રાજા માટે એક વૈકલ્પિક નિવાસ પણ ઉપલબ્ધ કરાવવાની છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
