મણિપુરના રાજા શા માટે ભૂખ હડતાલ પર છે?
રાજાના સહયોગીઓનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય વર્ષ 2006માં શાહી પરિવાર અને રાજ્ય સરકારની વચ્ચે થયેલી સમજુતીનું ઉલ્લંઘન છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે શાહી મહેલ અને તેની આસપાસની જમીનને સરકાર વિરાસત સ્થળ તરીકે વિકસાવવા માંગે છે.
આ કારણે સરકારના નિર્ણયના વિરોધમાં રાજા સાનાજોબે સોમવારે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે.બે દિવસ પહેલા રાજ્ય કેબિનેટે રાજધાની ઇમ્ફાલમાં બનેલા સાના કોનુંગ મહેલનું અધિગ્રહણ કરવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે રાજાના સલાહકાર પુયામ તોમચાનું કહેવું છે કે "રાજાની સાથે છેતરપિંડી થઇ છે. કારણ કે સરકારે વર્ષ 2006માં કરવામાં આવેલી સમજુતિનું ઉલ્લંઘન કર્યું છે. આ સમજુતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહેલ અંગેનો કોઇ પણ નિર્ણય રાજાની મંજૂરી વિના લેવામાં આવશે નહીં."
બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કેમહેલનું રિનોવેશન કરાવીને સરકાર તેને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે. સરકાર રાજા માટે એક વૈકલ્પિક નિવાસ પણ ઉપલબ્ધ કરાવવાની છે.