Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી-રાજનાથની ઇલેક્શન સ્ટ્રેટજીમાં અંતમાં ભાગવત શા માટે?

નવી દિલ્હી, 11 મેઃ ચૂંટણીનો પડઘમ શાંત થઇ ગયો છે, પ્રચાર ખતમ થઇ ગયો, બધી રેલીઓ પૂર્ણ થઇ ગઇ છે અને ત્યારબાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા આરએએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી અને હવે રાજનાથ સિંહ પણ તેમને મળવા માટે પહોંચી ગયા છે. જરા વિચારો આખરે આ કેવું કારણ છે, જે ભાજપની ઇલેક્શન સ્ટ્રેટેજીમાં આ વખતે મોહન ભાગવત સૌથી છેલ્લે કેમ? આખરે આ મુલાકાતમાં કઇ ચર્ચા થઇ રહી છે.

mohan-bhagwat-602
પહેલા પ્રશ્નનો જવાબ છે મુસ્લિમ મત. જીહાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહએ સાર્વજનીક રીતે આરએસએનું ઇન્વોલ્વમેન્ટ અંતમા એટલા માટે રાખ્યું, કારણ કે તે નહોતા ઇચ્છતા કે મુસ્લિમ મત કપાય જાય. માત્ર આ જ કારણ છે, જેમાં આરએસએસને અંતમાં રાખવામાં આવ્યું. બીજો પ્રશ્ન ઘણો રોચક છે. મુલાકાતોમાં શું થઇ રહ્યું છે, આ વાતનો ખુલાસો અધિકૃત રીતે કરવામાં આવ્યો નથી, પરંતુ જી હાં, સૂત્રોની માનીએ તો બંધ રૂમમં આગામી સરકાર અને ભાજપના વૃદ્ધ નેતાઓની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

ઝાંડેવાલાનમાં સ્થિત સંઘ કાર્યાયલમાં હાજર સંઘના એક કાર્યકર્તા અનુસાર મોદી અને રાજનાથ આખો રીપોર્ટ આપવા પહોંચ્યા છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર નહોતા, તેમના સ્થાને ભૈયાજી જોશી અને સુરેશ સોની હાજર હતા. વાર્તામાં ખાસ પ્રકારે તેમાં એ ચર્ચા થઇ રહી છેકે ભાજપના વૃદ્ધ નેતાઓને કેવા પ્રકારની જવાબદારીઓ આગામી સરકાર આપવામાં આવે. સૂત્રો અનુસાર રાજનાથે સંગ પ્રમુખને જે આંકડા આપ્યા છે, તેના પર ભાજપની જીત પાક્કી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આંકડાઓ અનુસાર ભાજપને આ વખતે 252 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે આખા એનડીએને 300 કરતા વધારે બેઠકો મળશે. રાજનાથનો અંદાજો છેકે મોદીની લહેરના કારણે ભાજપને 28 વધારે મળી શકે છે, પરંતુ તેના વિશ્વાસ એટલા માટે નથી, કારણ કે એ 28 બેઠકો પર અન્ય દળોનું વર્ચસ્વ વર્ષોથી છે.

રાજનાથ કેમ રિપોર્ટ કરી રહ્યાં છે આરએસએસને

જો તમે આરએસએસની ડિરેક્ટરીને ઉઠાવની જુઓ તો તેના અંતિમ તબક્કામાં એ સંગઠનોનું નામ, નંબર અને સરનામું છે, જેમના આરએસએસ સાથે સંબંધ છે. આ યાદીમાં ભાજપનું નામ હોવાનું દર્શાવે છેકે ભાજપ, આરએસએસની એક વિંગ છે, ના કે તેનાથી અલગ. સામાન્ય વાત છેકે તમે માતૃ સંગઠનનો રિપોર્ટ કરવો જરૂરી છે. બીજુ સૌથી મોટું કારણ છે ભાજપને વોટ પાક્કા કરવામાં આરએસએસનું ઇન્વોલ્વમેન્ટ. ભાજપમાં જ્યારે ટીકિટ ફાઇનલ કરવામાં આવે છે, ત્યારે આરએસએસના ક્ષેત્ર પ્રચારક, શહેર પ્રચારક અને બ્લોક પ્રચારકનો પ્રતિભાવ ઉમેદવાર અંગે લેવામા આવે છે. જો નેગેટિવ ફીડબેક હોય છે તો ભાજપ તેને ટીકિટ આપવામાં આવતી નથી. જ્યારે આરએસએસના ફીડબેકના આધારે ટીકિટ આપવામાં આવે છે તો તેનો રિપોર્ટકાર્ડ આપવો જરૂરી બને છે.

અંતમાં સૌથી મહત્વપૂર્ણ છેકે નરેન્દ્ર મોદી, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીથી લઇને તમામ મોટા ભાજપી નેતા આરએસએસના કાર્યકર્તા છે. આગામી સરકારમાં મોદીની સીટ તો પાક્કી છે, પરંતુ બાકીને ક્યાં-ક્યાં બેસાડવામાં આવશે, તેનો નિર્ણયમાં ભાગવતનો પ્રતિભાવ જરૂર લેવામાં આવશે અને ભાજપ પણ તે જ કામ કરી રહ્યું છે.

ભાજપનો આત્મવિશ્વાસ

ખરા સમયે આરએસએસ પ્રમુખ અને અટલ બિહારી વાજપાયી સાથે મુલાકાત અને મુલાકાત સ્પષ્ટ રીતે ભાજપની આગામી સરકાર બનાવવાનો આત્મવિશ્વાસ દર્શાવે છે. તેવામાં આવતી કાલે 12 મેના રોજ મતદાન થવા જઇ રહ્યું છે અને મતદાતાઓ પર તેનો પ્રભાવ પડી શકે છે, જે લોકો ભાજપને મત આપવા નહીં જતા હોય તો આ સમાચાર વાંચીને જરૂર મત આપવાનું વિચારશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X