Lok Sabha Election 2024: શા માટે નારાજ છે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક? વડાપ્રધાન મોદીએ આપ્યું કારણ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે, હવે માત્ર અંતિમ તબક્કો બાકી છે. જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ તેમના અંતિમ તબક્કામાં પહોંચે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વાસ વધી રહ્યો છે કે, તેમની ભારતીય જનતા પાર્ટી (BJP) કેન્દ્રમાં સત્તા પર પાછા ફરશે, અને ઓડિશામાં સરકાર બનાવશે, જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ રહી છે.
સમાચાર એજન્સી ANI સાથેની મુલાકાતમાં, PM નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે સારા સંબંધો હોવા છતાં નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતા દળ (BJD) સાથે ગઠબંધન ન કરવાના ભાજપના નિર્ણય વિશે વાત કરી છે.
વડાપ્રધાન મોદીએ હવે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથેના સંબંધો પર મૌન તોડ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે, વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી નવીન પટનાયકથી નારાજ છે. હવે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, તેમની કોઈ સાથે દુશ્મની નથી. રાજકારણમાં નેતાઓ વચ્ચેના સંબંધો સારા હોવા જોઈએ.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથેના સંબંધો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે અમારા સારા સંબંધો છે અને લોકશાહીમાં અમારી કોઈ દુશ્મની નથી. હવે સવાલ એ છે કે, મારે મારા સંબંધો જાળવી રાખવા જોઈએ કે ઓડિશાના ભાવિની ચિંતા કરવી જોઈએ. મેં ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે, અને જો આ માટે મારે મારા સંબંધોનું બલિદાન આપવું પડશે, તો હું તેનું બલિદાન આપીશ અને ચૂંટણી પછી હું બધાને સમજાવીશ કે, મારે કોઈની સાથે દુશ્મની નથી.
વડાપ્રધાન મોદીએ ઓડિશામાં નવીન પટનાયકની આગેવાની હેઠળની સરકાર પર નિશાન સાધ્યું અને જણાવ્યું હતું કે, તેઓએ ઓડિશાની આખી સિસ્ટમ પોતાના હાથમાં લઈ લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઓડિશામાં છેલ્લા 25 વર્ષથી કોઈ પ્રગતિ થઈ નથી. સૌથી મોટી ચિંતા એ છે કે, એક જૂથે સમગ્ર ઓડિશા સિસ્ટમ પર કબજો કરી લીધો છે. સમગ્ર તંત્રને બાનમાં લેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સરકાર આવશે, તો ઓડિશા આમાંથી બહાર આવશે અને પછી તે ખીલશે તે સ્વાભાવિક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવીન પટનાયક 2000 થી ઓડિશાના મુખ્યમંત્રી તરીકે સત્તા પર છે. તેઓ આ વખતે રાજ્યની ચૂંટણીમાં ફરીથી રેકોર્ડ છઠ્ઠી ટર્મની આશા રાખી રહ્યા છે.
#WATCH | On his relations with Odisha CM Naveen Patnaik, Prime Minister Narendra Modi says "We have good relations with the leaders of all the political parties of India and in a democracy we do not have enmity. Now the question is whether I should maintain my relations or worry… pic.twitter.com/WSuakYyyff
— ANI (@ANI) May 28, 2024
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
