કોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદી
કોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદી
નવી દિલ્હીઃ દિલ્હીમાં આયોજિત ભાજપની મહાકાય રેલીમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર સીધો હુમલો બોલ્યો છે. મોદીએ કહ્યું કે આ એજ મમતા બેનરજી છે, જે બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશથી બહાર કાઢવા અને હેરાનગતિનો શિકાર થયેલ શરણાર્થિઓના હિતની રક્ષા માટે સંસદમાં કાગળ ફાડી ચૂકી છે. પરંતુ હવે આવું કેમ થઈ ગયું છે કે તેઓ સિટિઝન એમેડમેન્ટ એક્ટ વિરુદ્ધ કોલકાતાથી સીધા યૂનાઈટેડ નેશન પહોંચી ગયાં છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવતી-જતી રહે છે પરંતુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આટલાં ડરેલાં કેમ છે? આટલી અફવા કેમ ફેલાવી રહી છે? એટલું જ નહિ હાથમાં તિરંગો લઈ આ કાયદાના વિરોધના નામે પ્રદર્શન કરનારાઓેને પણ પોતાના અંદાજમાં લલકારવાની કોશિશ કરી છે.

દિલ્હીમાં ભાજપની આ રેલીમાં આ વખતે મમતા બેનરજી સીધી રીતે પીએમ મોદીના નિશાના પર રહ્યાં. સિટિઝન એમેડમેન્ટ એક્ટ વિરુદ્ધ મમતાના વલણ વિશે પીએમ મોદીએ કહ્યું કે- મમતા દીદી કોલકાતાથી સીધા યૂએન ચાલ્યા ગયાં. કેટલાક વર્ષો પહેલા ત્યાં સંસદમાં બાંગ્લાદેશથી આવેલ ઘૂસણખોરીને રોકવા માટે પુકાર લગાવી રહી હતી, સદનમાં કાગળ ફાડી નાખ્યાં હતાં. ઉત્પીડનનો શિકાર શરણાર્થિઓના હકમાં બોલી રહ્યાં હતાં. મોદીએ તંજ કસતાં ટીએમસી સુપ્રીમોને પૂછ્યું કે, દીદી તમને શું થઈ ગયું છે? તમે કેમ બદલાઈ ગયાં છો? તમે અફવા કેમ ફેલાવી રહ્યા છો? ચૂંટણી આવતાં-જતાં તમે ડરી કેમ જાઓ છો?
આની સાથે જ પીએમ મોદીએ ઈશારામાં જ એવા લોકો પર પણ નિશાનો સાધ્યો જેઓ હાથોમાં તિરંગો લઈ મુસ્લિમ સમાજમાં ભ્રમની સ્થિતિ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે- મને પૂરો વિશ્વાસ છે કે જે હાથમાં તિરંગો લઈને ઉભા છે, તેઓ પાકિસ્તાન પ્રોસ્તાહિત આતંકવાદ વિરુદ્ધ પણ અવાજો ઉઠાવશે. આવું કરી તે લોકોને આના માટે પ્રેરિત કરી શકાય છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી








Click it and Unblock the Notifications
