કોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદી
કોલકાતાથી સીધા UN પહોંચી ગયાં, મમતા દીદી આટલાં ડરેલાં કેમ છેઃ મોદી
નવી દિલ્હીઃ દિલ્હીમાં આયોજિત ભાજપની મહાકાય રેલીમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર સીધો હુમલો બોલ્યો છે. મોદીએ કહ્યું કે આ એજ મમતા બેનરજી છે, જે બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશથી બહાર કાઢવા અને હેરાનગતિનો શિકાર થયેલ શરણાર્થિઓના હિતની રક્ષા માટે સંસદમાં કાગળ ફાડી ચૂકી છે. પરંતુ હવે આવું કેમ થઈ ગયું છે કે તેઓ સિટિઝન એમેડમેન્ટ એક્ટ વિરુદ્ધ કોલકાતાથી સીધા યૂનાઈટેડ નેશન પહોંચી ગયાં છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવતી-જતી રહે છે પરંતુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આટલાં ડરેલાં કેમ છે? આટલી અફવા કેમ ફેલાવી રહી છે? એટલું જ નહિ હાથમાં તિરંગો લઈ આ કાયદાના વિરોધના નામે પ્રદર્શન કરનારાઓેને પણ પોતાના અંદાજમાં લલકારવાની કોશિશ કરી છે.

દિલ્હીમાં ભાજપની આ રેલીમાં આ વખતે મમતા બેનરજી સીધી રીતે પીએમ મોદીના નિશાના પર રહ્યાં. સિટિઝન એમેડમેન્ટ એક્ટ વિરુદ્ધ મમતાના વલણ વિશે પીએમ મોદીએ કહ્યું કે- મમતા દીદી કોલકાતાથી સીધા યૂએન ચાલ્યા ગયાં. કેટલાક વર્ષો પહેલા ત્યાં સંસદમાં બાંગ્લાદેશથી આવેલ ઘૂસણખોરીને રોકવા માટે પુકાર લગાવી રહી હતી, સદનમાં કાગળ ફાડી નાખ્યાં હતાં. ઉત્પીડનનો શિકાર શરણાર્થિઓના હકમાં બોલી રહ્યાં હતાં. મોદીએ તંજ કસતાં ટીએમસી સુપ્રીમોને પૂછ્યું કે, દીદી તમને શું થઈ ગયું છે? તમે કેમ બદલાઈ ગયાં છો? તમે અફવા કેમ ફેલાવી રહ્યા છો? ચૂંટણી આવતાં-જતાં તમે ડરી કેમ જાઓ છો?
આની સાથે જ પીએમ મોદીએ ઈશારામાં જ એવા લોકો પર પણ નિશાનો સાધ્યો જેઓ હાથોમાં તિરંગો લઈ મુસ્લિમ સમાજમાં ભ્રમની સ્થિતિ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે- મને પૂરો વિશ્વાસ છે કે જે હાથમાં તિરંગો લઈને ઉભા છે, તેઓ પાકિસ્તાન પ્રોસ્તાહિત આતંકવાદ વિરુદ્ધ પણ અવાજો ઉઠાવશે. આવું કરી તે લોકોને આના માટે પ્રેરિત કરી શકાય છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
