કેપ્ટનના સિદ્ધુ રાષ્ટ્રવિરોધી હોવાના આરોપ મુદ્દે ગાંધી પરિવાર ચૂપ કેમ:જાવડેકર
ભારતીય જનતા પાર્ટીએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના સનસનાટીભર્યા અને ગંભીર આરોપો પર કોંગ્રેસ હાઇકમાન્ડ અથવા ગાંધી પરિવાર સામે સીધો મોરચો ખોલ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના સનસનાટીભર્યા અને ગંભીર આરોપો પર કોંગ્રેસ હાઇકમાન્ડ અથવા ગાંધી પરિવાર સામે સીધો મોરચો ખોલ્યો છે. પાર્ટીના નેતા પ્રકાશ જાવડેકરે સવાલ કર્યો છે કે, જ્યારે કેપ્ટને સિદ્ધુને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા છે ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવા ગંભીર વિષય પર હજુ સુધી ચૂપ કેમ છે? તેમના મૌનનો અર્થ શું છે?

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ હાઇકમાન્ડ પર નિશાન સાધતા કહ્યું કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા છે. આ ખૂબ જ ગંભીર આરોપ છે. ભાજપ કોંગ્રેસને માત્ર એક જ સવાલ પૂછી રહી છે કે આ અંગે સોનિયા, રાહુલ અને પ્રિયંકા કેમ ચૂપ છે? નોંધપાત્ર બાબત એ છે કે શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદરે કહ્યું હતું કે, જો કોંગ્રેસ હાઇકમાન્ડ નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરશે તો તે તેનો વિરોધ કરશે. તેમને આરોપ લગાવ્યો કે સિદ્ધુના પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન અને પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથે સંબંધ છે. તેમણે સિદ્ધુને રાષ્ટ્રવિરોધી પણ ગણાવ્યા અને કહ્યું હતું કે, તે ભૂતપૂર્વ સૈનિક હોવાને કારણે તેને સહન કરી શકતા નથી.
બીજી તરફ ભાજપના પ્રવક્તા એનવી સુભાષે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાં તેના નેતાઓને અપમાનિત કરી રહી છે. તેમણે કહ્યું કે, તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પાર્ટી હાઇકમાન્ડના ઉદાસીન વલણને કારણે તમામ કોંગ્રેસી નેતાઓ અપમાનિત થઈ રહ્યા છે અને હાઈકમાન્ડ માત્ર તેના પરિવારના શાસનની ચિંતા કરે છે, 135 વર્ષ જૂની પાર્ટીની નહીં. તેમણે કહ્યું કે તેના કારણે તમામ મંત્રીઓ અને પાર્ટી કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે. સુભાષના મતે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને પંજાબ કે ઉત્તર પ્રદેશમાં એક પણ બેઠક મળશે નહીં.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતશે. કારણ કે અમે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ વિકાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપવું જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પારિવારિક વ્યવસાય બંધ કરવો જોઈએ અને અન્ય નેતાઓને પાર્ટી ચલાવવાની તક આપવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
