‘લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમી રહ્યા છે મોદી-મમતા, તેમને ઉખાડી ફેંકીશુ'
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએફ)ના નેતા કન્હૈયા કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએફ)ના નેતા કન્હૈયા કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.

‘ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે મોદી-મમતા'
એક જનસભાને સંબોધિત કરતા કન્હૈયા કુમારે કહ્યુ કે આજે દેશનો યુવાન નોકરી ઈચ્છે છે, તેને રોટી જોઈએ ધર્મ નહિ, મોદી દેશમાં જે કામ દિલ્લીથી કરી રહ્યા છે તે જ કામ દીદી કોલકત્તામાં બેસીને કરી રહ્યા છે. તેમને માત્ર ધર્મનું રાજકારણ કરતા આવડે છે. તેમને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. બંને લોકતંત્રનો વિનાશ કરી રહ્યા છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
ઉલ્લેખનીય છે કે આ જનસભા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના 94માં સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કરવામાં આવી હતી. કન્હૈયા કુમારે કહ્યુ કે દેશના લોકતાંત્રિક તાણવાણાને નષ્ટ કરવાની ઈચ્છા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ સામે અમે લડીશુ. ભલે તે મોદી હોય કે દીદી, કન્હૈયાએ દેશના બંધારણ અને લોકતંત્રના વિરોધમાં કામ કરનારા સામે લડવાના શપથ લીધા.

‘મોદી હોય કે દીદી, અમે કોઈને છોડીશુ નહિ'
કન્હૈયા કુમારે કહ્યુ કે અમારો મુખ્ય હેતુ લોકતંત્રની રક્ષા કરવાનો છે જો કોઈ લોકતંત્રને નષ્ટ કરવા ઈચ્છે છે તો અમે તેને ઉખાડી ફેંકીશુ. પછી ભલે તે મોદી હોય કે દીદી, બંને સામે અમે એક જ રીતે લડીશુ.

‘દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના હિંદુઓથી'
તેમણે કહ્યુ કે દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના તો હિંદુઓથી, વર્તમાન સમયમાં દેશને અસલી ખતરો તો આવા નેતાઓથી છે. આ કાર્યક્રમમાં કન્હૈયા કુમાર સાથે દલિત નેતા ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર હતા. તેમણે પણ ભાજપ પર હુમલો કર્યો હતો.
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
