‘લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમી રહ્યા છે મોદી-મમતા, તેમને ઉખાડી ફેંકીશુ'
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએફ)ના નેતા કન્હૈયા કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએફ)ના નેતા કન્હૈયા કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.

‘ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે મોદી-મમતા'
એક જનસભાને સંબોધિત કરતા કન્હૈયા કુમારે કહ્યુ કે આજે દેશનો યુવાન નોકરી ઈચ્છે છે, તેને રોટી જોઈએ ધર્મ નહિ, મોદી દેશમાં જે કામ દિલ્લીથી કરી રહ્યા છે તે જ કામ દીદી કોલકત્તામાં બેસીને કરી રહ્યા છે. તેમને માત્ર ધર્મનું રાજકારણ કરતા આવડે છે. તેમને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. બંને લોકતંત્રનો વિનાશ કરી રહ્યા છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
ઉલ્લેખનીય છે કે આ જનસભા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના 94માં સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કરવામાં આવી હતી. કન્હૈયા કુમારે કહ્યુ કે દેશના લોકતાંત્રિક તાણવાણાને નષ્ટ કરવાની ઈચ્છા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ સામે અમે લડીશુ. ભલે તે મોદી હોય કે દીદી, કન્હૈયાએ દેશના બંધારણ અને લોકતંત્રના વિરોધમાં કામ કરનારા સામે લડવાના શપથ લીધા.

‘મોદી હોય કે દીદી, અમે કોઈને છોડીશુ નહિ'
કન્હૈયા કુમારે કહ્યુ કે અમારો મુખ્ય હેતુ લોકતંત્રની રક્ષા કરવાનો છે જો કોઈ લોકતંત્રને નષ્ટ કરવા ઈચ્છે છે તો અમે તેને ઉખાડી ફેંકીશુ. પછી ભલે તે મોદી હોય કે દીદી, બંને સામે અમે એક જ રીતે લડીશુ.

‘દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના હિંદુઓથી'
તેમણે કહ્યુ કે દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના તો હિંદુઓથી, વર્તમાન સમયમાં દેશને અસલી ખતરો તો આવા નેતાઓથી છે. આ કાર્યક્રમમાં કન્હૈયા કુમાર સાથે દલિત નેતા ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર હતા. તેમણે પણ ભાજપ પર હુમલો કર્યો હતો.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
