શું રાબડી સારણથી અને મીસા પાટલીપુત્રથી ચૂંટણી લડશે?
પટણા, 6 ઓક્ટોબર : બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ - આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના જેલ ગયા બાદ તેમના પત્ની રાબડી દેવી પટણામાં આરજેડીની પ્રથમ બેઠક યોજી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવા કાયદા અનુસાર લાલુ યાદવે પોતાનું સંસદીય પદ ગુમાવ્યા બાદ તેમની બેઠકથી તેમના પત્ની રાબડી દેવી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
આ સાથે અન્ય એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે કે આ વખતે ચૂંટણીઓ માત્ર રાબડી દેવી એકલાં નહીં લડે. લાલુ અને રાબડી દેવીની મોટી દીકરી મીસા પણ આ વખેત ચૂંટણી લડીને રાજકારણમાં ઝંપલાવે તેવી શક્યતા છે. માસાને સંસદીય ચૂંટણી લડાવવામાં આવશે. તેઓ પાટલીપુત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
લાલુના જેલ ગયા બાદ આરજેડીની કમાન કોના હાથમાં હશે તે રાબડી દેવીએ સ્પષ્ટ કરી દીધું હતું. આ વ્યવસ્થા મુજબ પોતાના બે દીકરા અને દીકરીઓની મદદથી રાબડી દેવી આરજેડીનું સંચાલન કરશે.

આ દ્વારા ભારતીય રાજકારણમાં વધી રહેલા પરિવારવાદનો વધુ એક નમૂનો જોવા મળી રહ્યો છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે લાલુની ગેરહાજરીમાં દર વખતે સારણ બેઠક પરથી તેમના પત્ની રાબડી દેવી જ ચૂંટણી લડશે. હવે લોકસભા ચૂંટણીમાં ખૂબ ઓછો સમય રહ્યો હોવાથી હાલમાં આ બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાવાની શક્યતા નથી.
લાલુની પુત્રી મીસા પાટલીપુત્રથી એટલા માટે ચૂંટણી લડી શકે એમ છે કારણ કે ત્યાં યાદવોની સંખ્યા વધારે છે. જેના કારણે મીસાને સીધું સમર્થન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઇ વખતા લાલુ સારણ અને પાટલીપુત્ર બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે પાટલીપુત્રમાં તેઓ પોતાના રાજકીય હરીફ અને જેડીયુના ઉમેદવાર રંજન યાદવ સામે હારી ગયા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
