Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝારખંડમાં લોજપા ગઠબંધન કરશે કે એકલા હાથે લડશે ચૂંટણી? ચિરાગ પાસવાને કર્યો ખુલાસો

jharkhand assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ માટે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તન યાત્રા કાઢી રહી છે.

આ સાથે ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા મૈનિયા સમ્માન યાત્રાનું કાઢી કરી રહી છે. આ વચ્ચે લોક જનશક્તિ પાર્ટી કોની સાથે ગઠબંધન કરશે તે અંગે સસ્પેન્સ બરકરાર છે.

ઉલ્લેખનીય છે કે, લોક જનશક્તિ પાર્ટી કેન્દ્રમાં NDA સાથે ગઠબંધનમાં છે અને તેમના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.

લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રાંચી એરપોર્ટ પર ઝારખંડ ચૂંટણી અંગે લોક જનશક્તિ પાર્ટીની આગામી રણનીતિ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અન્ય કોઈ લોક જનશક્તિ પાર્ટી અન્યા પાર્ટી સાથે ગઠબંધન કરે કે, એકલા હાથે ચૂંટણી લડશે, તે અંગે વિચારણા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ લોક જનશક્તિ પાર્ટી ઝારખંડમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરીને તેના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે હું કહીશ કે, પાર્ટી ક્યાં મજબૂત છે અને તે ક્યાં કાર્યક્રમો આયોજિત કરવા માંગે છે. અમે ત્યાં અનેક કાર્યક્રમોનું આયોજન કરીશું.

jharkhand assembly election 2024

ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની સંભાવનાને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. લોક જનશક્તિ પાર્ટી રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જેમાં પલામુ, ધનબાદ અને જમશેદપુરના આગામી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ ઝારખંડ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ભાજપની તૈયારીઓ અંગે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની પસંદગી શરૂ કરી દીધી છે. ચૂંટણી સમિતિની બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જે બાદ નિર્ણય લેવામાં આવશે.

હાલના ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધનની ટીકા કરતા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં મજબૂત પકડ સ્થાપિત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ પાર્ટી પણ ઝારખંડ ચૂંટણી માટે પોતાની રણનીતિને આખરી ઓપ આપી રહી છે. જેપીસીસીના પૂર્વ અધ્યક્ષ રાજેશ ઠાકુર, અંબા પ્રસાદ અને ધીરજ પ્રસાદ સાહુને ચૂંટણી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય બાબત છે કે, કોંગ્રેસની રાજ્ય ચૂંટણી સમિતિ, પ્રચાર સમિતિ અને મેનિફેસ્ટો સમિતિની રચના કરવામાં આવી છે.

ઉલ્લેખીય છે કે, ઝારખંડમાં આ વર્ષના અંતમાં 81 સભ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X