12 સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન આજે રદ્દ થશે? સરકારે વિરોધ પક્ષોની બેઠક બોલાવી
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષોના 12 સાંસદોને લઈને સોમવારના રોજ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સોમવારના રોજ સવારે 10 કલાકે સંસદભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
નવી દિલ્હી : રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષોના 12 સાંસદોને લઈને સોમવારના રોજ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સોમવારના રોજ સવારે 10 કલાકે સંસદભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં જે વિપક્ષી પાર્ટીઓના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ પક્ષોને એક પત્ર મોકલવામાં આવ્યો છે.

આ બેઠકમાં કોંગ્રેસ સહિત 4 વિપક્ષી દળો હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે, આ બેઠક સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ સહિત ચાર વિરોધ પક્ષોને બોલાવવામાં આવ્યા છે. જેમાં TMC, CPI, CPI(M) અને શિવસેનાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારની બેઠક માટે આ પક્ષોને આમંત્રણ મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે,વિપક્ષી દળો 12 સાંસદોના સસ્પેન્શનને હટાવવા માટે સતત વિરોધ કરી રહ્યા છે.
|
સંજય રાઉતે કરી આમંત્રણની પુષ્ટિ
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ બેઠક માટે કેન્દ્ર સરકારના આમંત્રણની પુષ્ટિ કરી છે.
આ અંગે સંજય રાઉતે જણાવ્યું હતું કે, "પ્રહલાદ જોશીએ મને ચાર રાજકીયપક્ષો કોંગ્રેસ, TMC, CPI(M) અને CPIના નેતાઓ સાથે બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યો છે, જેમના રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં શિવસેનાના 2 સાંસદનો પણ સમાવેશ થાય છે.

સરકારની બેઠક પહેલા મલ્લિકાર્જુન ખડગે નિર્ણય લેશે
ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, કેન્દ્ર સરકારની આ બેઠક પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠક બોલાવી છે, જેમાં ચારેય પક્ષોનાનેતાઓ હાજરી આપશે.
આ બેઠક 10 કલાકે બોલાવવામાં આવી છે. સરકારના આમંત્રણ પર આ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારનું આમંત્રણ પણનકારવામાં આવી શકે છે, કારણ કે વિપક્ષે દાવો કર્યો હતો કે, જ્યાં સુધી 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
