સાક્ષીએ માલેગાંવ બ્લાસ્ટમાં ઉપયોગ થયેલી પ્રજ્ઞાની બાઈક ઓળખી
2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના કેસમાં, કેટલાક ડેવલોપમેન્ટ સામે આવ્યા છે. હકીકતમાં, એક સાક્ષીઓએ વિસ્ફોટના દિવસે ત્યાં સ્થાયી બાઇકની ઓળખ કરી હતી.
2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના કેસમાં, કેટલાક ડેવલોપમેન્ટ સામે આવ્યા છે. હકીકતમાં, એક સાક્ષીઓએ વિસ્ફોટના દિવસે ત્યાં સ્થાયી બાઇકની ઓળખ કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા કોર્ટમાં બે બાઇક અને 5 સાઇકલ રજૂ કરવામાં આવી હતી. સાક્ષીએ તેમાંના એકને ઓળખી કાઢ્યું છે, જ્યારે વિસ્ફોટ થયો તે દિવસે બાઇક ઊભી હતી. બધા બાઇકો અને સાયકલ ઓળખવા માટે ટેમ્પોમાં લાવવામાં આવી હતી અને સાક્ષીને ઓળખવા માટે ટેમ્પોમાં ચઢાવી દેવામાં આવ્યો હતો. એનઆઈએ વિશેષ ન્યાયાધીશ વિનોદ પદાલકર ઘ્વારા પણ મોબાઇલ ટોર્ચ લાઇટમાં બાઇકો જોવામાં આવી હતી.
રજુ કરવામાં આવેલા પુરાવા વચ્ચે એક પુરી રીતે નષ્ટ થયેલી બાઈક હતી, જેને મુંબઈની એન્ટી-ટેરેરિસ્ટ સ્ક્વોડ અનુસાર વિસ્ફોટનું કારણ માનવામાં આવી રહ્યું છે. આરોપ છે કે બાઈક ભાજપના ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની છે. બાઇકનો પાછળની ભાગ પુરી રીતે નષ્ટ થયો હતો પરંતુ ફ્રન્ટ લાઈટ કવર લગભગ ઠીક હાલતમાં હતું. બાઈક પર લખેલો શબ્દ "ફ્રીડમ" સાફ દેખાઈ રહ્યો છે. આરોપ છે કે ધમાકા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક તરફ હવે જયારે બાઈકની ઓળખ થઇ ચુકી છે ત્યારે હવે પ્રજ્ઞા સિંહ ઠાકુરે સાબિત કરવું પડશે કે ધમાકા સમયે તેમને બાઈક સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, પોતાના નામમાં ગુરુનું નામ સામેલ કર્યું હતું
પ્રજ્ઞા ઠાકુર સહીત લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી, અજય રહિરકર, સમીર કુલકર્ણી અને સુધાકર ચતુર્વેદીને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે છે. ઘણી ધારાઓ હેઠળ આ લોકો સામે આક્ષેપો છે. આ વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા અને એક ડઝન અન્ય ઘાયલ થયા હતા. હાલમાં જામીન પર બહાર પ્રજ્ઞા ઠાકુર, મધ્યપ્રદેશના ભોપાલ મતક્ષેત્રમાંથી કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે ચૂંટણી લડ્યા બાદ લોકસભાની ચૂંટણી જીતી છે.
આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું