ચમત્કાર! મોતના બે કલાક બાદ ફરીથી જીવતી થઈ મહિલા અને બોલી - 'બેટા, અજ્જુ મને પણ ચા પીવડાવ'
રાજસ્થાનના જોધપુરમાં કોઈને માન્યામાં ન આવે એવો ચમત્કાર જોવા મળ્યો છે.
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં કોઈને માન્યામાં ન આવે એવો ચમત્કાર જોવા મળ્યો છે. જે મહિલાને ઘરવાળા મૃત માની ચૂક્યા હતા અને તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી તે અચાનક જીવતી થઈ ગઈ. પોતાની આંખો ખોલી અને બોલી - 'બેટા, અજ્જુ મને પણ ચા પીવડાવ'. જોધપુર શહેરના દધિમતી નગરમાં જ્યાં એક પરિવારની વૃદ્ધ મહિલા અચલેશ્વર દેવીના શરીરમાં પરિવારે જ્યારે કોઈ હલચલ ન જોઈ તો તેમને મૃત માની લેવામાં આવ્યા અને પરિવારજનોને સૂચિત કરીને બોલાવી લીધા. બધા સવાર થવાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બે કલાક બાદ વૃદ્ધ મહિલાએ આંખો ખોલી અને પોતાના દીકરાને કહ્યુ અજ્જૂ મને ચા પીવડાવ.
આ સાંભળીને આખો પરિવાર દંગ રહી ગયો. બધા તેની પાસે ગયા. તેમણે આંખો ખોલી અને ફરીથી બંધ કરી દીધી પરંતુ શ્વાસ ચાલી રહ્યા હતા અને નાડી ચાલવા લાગી. પરંતુ કુદરતનો આ કરિશ્મા બસ થોડી વાર માટે જ થયો. ફરીથી શ્વાસ ચાલુ થયા બાદ પરિવારજનો જેવી મહિલાને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં જ તેમનુ મોત થઈ ગયુ અને તપાસ બાદ ડૉક્ટરોએ અચલેશ્વર દેવીને મૃત ઘોષિત કરી દીધા. નિરાશ પરિવારજનો તેમને ઘરે પાછા લાવ્યા અને બાદમાં અંતિમ સંસ્કાર કર્યા. દીકરા હેમંતે જણાવ્યુ કે માને બે દિવસ પહેલા એટેક આવ્યો હતો પરંતુ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થઈ ગયો હતો.
રાજ્યો માટે કેન્દ્ર ખરીદે વેક્સીન નહિતર ભારતની છબી ખરાબ થશે
બુધવારે સવારે 4.00 વાગે તે ઉઠ્યા અને શૌચ ગયા. ત્યારબાદ પાછા આવીને પલંગ પર આડા પડ્યા. પરિવારા સભ્યો જાગતા હતા. થોડી વાર પછી દીકરા હેમંતે આવીને માને ઝંઝોળી તો શરીર ઠંડુ પડી ચૂક્યુહતુ. શ્વાસ ચાલતા નહોતા અને નાડી પણ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ હેમંતે તરત નજીકના પોતાના સંબંધીઓને સૂચના આપી. બધાએ માને મૃત માનીને પલંગ પરથી ઉતારી દીધા. લગભગ 6 વાગે અચાનક હેમંતની માએ આંખો ખોલી અને બોલ્યા કે અજ્જુ ચા પીવડાવ પરંતુ હોસ્પિટલ લઈ ગયા બાદ ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા.