Women In Modi Cabinet: મોદીના મંત્રીમંડળમાં 7 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો નામ
Women In Modi Cabinet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત રચાયેલી NDA સરકારની કેબિનેટમાં સાત મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર પૂર્વ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો છે.
સીતારામન ઉપરાંત પૂર્વ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવી, ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાયેલા અનુપ્રિયા પટેલ અને કર્ણાટકમાંથી ચૂંટાયેલા શોભા કરંદલાજેને ફરી એકવાર કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
પહેલીવાર મંત્રી બનનારી મહિલા નેતાઓમાં 37 વર્ષીય રક્ષા નિખિલ ખડસેનું નામ પણ સામેલ છે. તેઓ આ કેબિનેટમાં સૌથી યુવા મહિલા મંત્રી હોવાના કારણે પણ ચર્ચામાં છે. આ ઉપરાંત સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણિયાને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પૂર્વ નાણામંત્રી પર વડાપ્રધાનનો વિશ્વાસ યથાવત - વડાપ્રધાન મોદીએ ફરી એકવાર પૂર્વ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેમને ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે.
પાંચ વર્ષ પહેલાં લાલુ યાદવને છોડવાનું મળ્યું ઇનામ - બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) છોડીને પાંચ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયેલા અન્નપૂર્ણા દેવીને ફરી એકવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની કોડરમા બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલી અન્નપૂર્ણાની આજે ભાજપની મજબૂત મહિલા નેતાઓમાં ગણતરી થાય છે.
શોભા કરંડલાજે - કર્ણાટકમાંથી ચૂંટાયેલા ભાજપના મહિલા સાંસદ શોભા કરંદલાજેને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની નજીક ગણવામાં આવે છે. તેમને ફરી એકવાર કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં શોભાએ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેમજ ખાદ્ય અને પ્રક્રિયા મંત્રાલય સંભાળ્યું હતું.
રક્ષા ખડસે સૌથી યુવા મહિલા મંત્રી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા ખડસે બીજા સૌથી યુવા મંત્રી છે. તેણી 37 વર્ષની છે અને તેણે B.Sc સુધી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેમની પહેલાં રામ મોહન નાયડુ (36 વર્ષ) સૌથી યુવા મંત્રી છે.
રક્ષા ખડસે માત્ર 26 વર્ષની વયે પહેલીવાર સાંસદ બન્યા હતા. તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા એકનાથ ખડસેની પુત્રવધૂ છે. તેણીના લગ્ન નિખિલ ખડસે સાથે થયા હતા, પરંતુ નિખિલનું મોત થયું હતું. નિખિલે 2013માં પોતાને ગોળી મારી દીધી હતી.
અનુપ્રિયાને બીજીવાર મળી તક - ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠક પરથી નવા ચૂંટાયેલા લોકસભા સાંસદ અને અપના દળ (સોનેલાલ) ના નેતા અનુપ્રિયા પટેલે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. અનુપ્રિયા અગાઉ પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે.
સાવિત્રી ઠાકુરને પણ મંત્રી પદ મળ્યું - સાંસદ સાવિત્રી ઠાકુરનો જન્મ 1 જૂન 1978ના રોજ થયો હતો. તેણી આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. મધ્યપ્રદેશની ધાર લોકસભા બેઠક પરથી બે લાખથી વધુ મતોથી જીતેલા સાંસદ સાવિત્રી ઠાકુરને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મોદી સરકાર 3.0 માં તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં સાવિત્રીએ કોંગ્રેસના ઉમેદવાર રાધેશ્યામ મુવેલને કારમી હાર આપી હતી.
નિમુબેન બાંભણિયા - ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 57 વર્ષીય સાંસદ નિમુબેન બાંભણિયાનો પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નિમુબેન બાંભણીયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.
તેમણે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેશ મકવાણાને 4.55 લાખ મતોના જંગી અંતરથી હરાવ્યા છે. તેણીએ 2009-10 અને 2015-18 વચ્ચે ભાવનગરના મેયર તરીકે પણ સેવા આપી હતી.
નિમુબેન બાંભણિયા શિક્ષિકા હતા, અને તેઓ 2004 માં ભાજપમાં જોડાયા હતા અને 2013 થી 2021 વચ્ચે ભાજપ મહિલા મોરચાના ગુજરાત એકમના ઉપપ્રમુખ હતા. નિમુબેન બાંભણિયા ઓબીસી કોળી સમાજના છે. તેમના પતિ ભાવનગરમાં શાળા ચલાવે છે.












Click it and Unblock the Notifications
