For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા બિહારમાં યજ્ઞ થયો

|
Google Oneindia Gujarati News

narendra-modi
પટણા, 25 મે : ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે રાજકીય, સંગઠન કક્ષીની સાથે ધાર્મિક રીતે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે અનેક પ્રકારનાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તાજેતરમાં બિહારની રાજધાની પટના ખાતે એક યજ્ઞ યોજાયો હતો અને તેમાં મોદીને વડાપ્રધાન બનાવે તે માટે આહુતિ આપવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીનાં વિદ્યાર્થી પાંખનાં કાર્યકર્તાઓ દ્વારા કાલી માતા સમક્ષ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને નરેન્દ્ર મોદી વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતિ સાથે જીતે અને વડાપ્રધાન બને તે માટેની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા એન.ડી.એ.નાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર તરીકે કોઇની જાહેરાત કરી નથી અને નીતીશકુમાર પણ મોદીનાં હરિફ માનવામાં આવી રહ્યાં છે તેવા સમયે પટના ખાતે ભાજપનાં વિદ્યાર્થી પાંખના આ કાર્યકર્તાઓએ અત્યારથી જ તેમને વડાપ્રધાન બનાવવા માટે પ્રાર્થના કરી છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2013ના પ્રથમ સપ્તાહમાં બિહારના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી નીતિશ કુમારની પાર્ટી જનતાદળ (યુનાઇટેડ)ના જ મુઝફ્ફરના સાંસદ જયનારાયણ પ્રસાદ નિશદે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવાનું સપનું પુરું થાય તે માટે પોતાના ઘરે હવનનું આયોજન કર્યું હતું. તે સમયે નીતિશ કુમાર સમસમી ગયા હતા અને આ મુદ્દે પક્ષમાં ભારે હોબાળો મચ્યો હતો.

English summary
Yagna accomplished in Bihar to make Narendra Modi PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X