નૈમિષ ધામમાં યોગી આદિત્યનાથના પ્રહાર, કહ્યું- પહેલા દીવા નીચે અંધકાર હતો, ભાજપ સરકારે વિકાસ કર્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે સીતાપુર પહોંચ્યા અને સ્વચ્છતા એ જ સેવા અભિયાનમાં ભાગ લીધો. સીતાપુરના ચક્રતીર્થ નૈમિષારણ્ય ધામમાં લોકો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને કોરિડોર અંગે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો.

નૈમિષારણ્ય વિકાસ પરિષદની રચના પછી યોગી પ્રથમ વખત નૈમિષ ધામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા લલિતા દેવીના દર્શન કર્યા અને ત્યાંના સંતો સાથે ચક્રતીર્થ વિશે ચર્ચા કરી. અહીં યોગીએ કહ્યું કે, તીર્થસ્થળોના વિકાસ માટે સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ધાર્મિક સ્થળના વિકાસમાં અમે કોઈ કમી નહીં છોડીયે. અમે ઇચ્છીએ છીએ કે આ તીર્થસ્થાન ફરી એક વાર એ જ ઓળખ મેળવે જે તે પ્રાચીન સમયમાં હતી.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath interacts with people at Chakratirtha Naimisharanya Dham in Sitapur pic.twitter.com/xPr5gIRkQr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2023
અગાઉની સરકારો પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, લખનૌથી થોડે દૂર હોવા છતાં અહીં વિકાસ થયો નથી. એક રીતે દીવા નીચે અંધકાર હતો. પરંતુ જ્યારથી બીજેપી સરકાર સત્તામાં આવી ત્યારથી યુપીના તમામ તીર્થસ્થળોનો વિકાસ થયો છે. નૈમિષના વિકાસમાં સરકાર કોઈ કસર છોડશે નહીં. પૈસાની કોઈ કમી નથી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
