નૈમિષ ધામમાં યોગી આદિત્યનાથના પ્રહાર, કહ્યું- પહેલા દીવા નીચે અંધકાર હતો, ભાજપ સરકારે વિકાસ કર્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે સીતાપુર પહોંચ્યા અને સ્વચ્છતા એ જ સેવા અભિયાનમાં ભાગ લીધો. સીતાપુરના ચક્રતીર્થ નૈમિષારણ્ય ધામમાં લોકો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને કોરિડોર અંગે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો.

Yogi Adityanath

નૈમિષારણ્ય વિકાસ પરિષદની રચના પછી યોગી પ્રથમ વખત નૈમિષ ધામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા લલિતા દેવીના દર્શન કર્યા અને ત્યાંના સંતો સાથે ચક્રતીર્થ વિશે ચર્ચા કરી. અહીં યોગીએ કહ્યું કે, તીર્થસ્થળોના વિકાસ માટે સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ધાર્મિક સ્થળના વિકાસમાં અમે કોઈ કમી નહીં છોડીયે. અમે ઇચ્છીએ છીએ કે આ તીર્થસ્થાન ફરી એક વાર એ જ ઓળખ મેળવે જે તે પ્રાચીન સમયમાં હતી.

અગાઉની સરકારો પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, લખનૌથી થોડે દૂર હોવા છતાં અહીં વિકાસ થયો નથી. એક રીતે દીવા નીચે અંધકાર હતો. પરંતુ જ્યારથી બીજેપી સરકાર સત્તામાં આવી ત્યારથી યુપીના તમામ તીર્થસ્થળોનો વિકાસ થયો છે. નૈમિષના વિકાસમાં સરકાર કોઈ કસર છોડશે નહીં. પૈસાની કોઈ કમી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X