CM યોગીનો આદેશઃ 20 કલાક કામ રહો, નહીં તો ચાલતી પકડો
યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તેઓ 20 કલાક કામ કરવા માટે તૈયાર રહે અને નહીં તો ચાલતી પકડે.
ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તામાં આવ્યા બાદ એક પછી એક ઠોસ નિર્ણયો લીધા છે. આ જ શ્રેણીમાં તેમણે પોતાના કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, જો તમે 18થી 20 કલાક કામ ન કરી શકો, તો વિદાય માટે તૈયાર રહો. તેમણે કહ્યું છે કે, જો તમે યુપીની કાયાપલટ માટે 18થી 20 કલાક કામ કરવા તૈયાર ન હોવ તો તમે જઇ શકો છો.

10 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચો
સરકારમાં આવતા જ મુખ્યમંત્રીએ ગેરકાયદેસર કતલખાનાઓ પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ તેમણે મહિલાઓની સુરક્ષા માટે એન્ટિ રોમિયો દળની રચના કરી હતી. આ કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. તેમનો હવેનો નિર્ણય જોતાં સ્પષ્ટ છે કે, યોગી આદિત્યનાથને હવે રોકી શકાય એમ નથી. તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તેઓ 10 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જાય. સાથે જ કાર્યાલયોમાં બને એટલી જલ્દી બાયોમેટ્રિક મશીનો પણ લગાવવામાં આવશે.

હું નહીં, BJPનો દરેક કાર્યકર્તા છે CM
ગોરખપુરમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રદેશની જનતાએ અમારી પર વિશ્વાસ કર્યો છે, અમારી પર ખૂબ મોટી જવાબદારી છે. પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશને નવી ઓળખાણ આપવા માટે ખૂબ મહેનત કરવી પડશે. અમારી સામે મોટો પડકાર છે, જે લોકો 18થી 20 કલાક કામ કરી શકતા હોય તે અમારી સાથે રહી શકે છે, બાકીનાને પોતાના રસ્તે જવાની પૂરી છૂટ છે. આગળના બે મહિનાઓમાં અમે એવું કામ કરીશું કે, લોકોને પરિવર્તન દેખાવા લાગશે. હું એકલો ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી નથી, ભાજપના તમામ કાર્યકર્તાઓ મુખ્યમંત્રી છે. આપણે યુપીને નવી ઓળખાણ આપવાની છે. યુપીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી અહીં કાયદાકીય રાજ સ્થાપિત કરવાનું છે.

ગુંડાઓને થશે જેલ
યોગી આદિત્યનાથે કહ્યું કે, મેં પીડબ્લ્યૂડીને સ્પષ્ટ જણાવી દીધું છે કે, તેઓ યુપીના રસ્તાઓને 15 જૂન સુધીમાં ખાડા-મુક્ત કરશે. યુપીમાં વીજળીની સેવા માટે પણ વિભાગને આદેશ આપવામાં આવ્યા છે. પહેલાની સરકારે જે ગુંડાઓને આશ્રય આપ્યો હતો, તેઓ પ્રદેશ છોડીને જતા રહે, નહીં તો તેમને જેલ જવાનો વારો આવશે. અમારી સરકાર કોઇને ભૂખ્યા નહીં રહેવા દે, કોઇ યુવતી પૈસાના અભાવે અવિવાહિત નહીં રહે.

મનસરોવની યાત્રા માટે મળશે ગ્રાન્ટ
મુખ્યમંત્રીએ આ સાથે જ કહ્યું હતું કે, માનસરોવરના યાત્રીઓને 50 હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે. તેમણે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, પોલીસ મથકો ખાતે પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવે. આ સિવાય તેમણે દરેક સરકારી વિભાગમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

અહીં વાંચો
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
