દિલ્હીના વિકાસ માટે કેજરીવાલે માંગ્યો વિરોધીઓનો સાથ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે બધા પક્ષોને સાથે આવવાનો આગ્રહ કર્યો છે. ઉપ રાજ્યપાલ દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીના વિકાસ માટે બધા પક્ષોએ સાથે આવવું પડશે.
તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના આ 28 ધારાસભ્યો એકલા દિલ્હીને ચમકાવી ના શકે. અહીંના વિકાસને ગતિ આપવા માટે બધા પક્ષોના 70 ધારાસભ્યોએ મળીને પ્રયત્ન કરવો પડશે. વિરોધીઓની મેણાં સાંભળનાર અરવિંદ કેજરીવાલે તેમની તરફથી મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
કોંગ્રેસ અને ભાજપ આપની સરકાર પર અનુભવહીનતાના મેણાં મારતી રહી છે, પરંતુ અરવિંદ કેજરીવાલે તેમની તરફ મિત્રતાનો હથ વધારીને તેમની જીભ પર લગામ કસી દિધી છે. તેમણે કહ્યું હતું કે હું વિચારું છું કે વિરોધી પક્ષ તેમના પર નારાજ હોય અને તેમની ભૂલો બતાવે જેથી તેમાંથી શિખામણ લઇને તે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. તેમણે કહ્યું કે પ્રદેશ માટે વિકાસના ઉપાયો અને નીતિઓના સલાહ આપે જેથી દિલ્હીને ચમકાવી શકાય.