દિલ્હીમાં બદલી ના થઇ તો આર્મી જનરલે કરી આત્મહત્યા

hang-to-death
નવી દિલ્હી, 20 જુલાઇ: સેનાના એડિશનલ ડાયરેક્ટર જનરલે દિલ્હી સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. 55 વર્ષના મેજર જનરલ રાજપાલ યાદવે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. જો કે મેજર જનરલ દિલ્હીમાં બદલી ન થતાં કેટલાક મહિનાઓથી પરેશાન હતા. આ પરેશાનીથી કંટાળીને તેમને પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.

ઘરમાં મળેલી તેમની સુસાઇડ નોટથી તેમની પરેશાનીને સારી રીતે સમજી શકાય છે. પોતાના સુસાઇડ નોટમાં તેમને પોતાની પોસ્ટીંગની પરેશાનીનો ઉલ્લેખ કર્યો હતો. રાજપાલ એનસીસીમાં એડિશનલ ડાયરેક્ટ જનરલના પદ પર પટનામાં તૈનાત હતા. તે પોતાની બદલી કરાવવા માંગતા હતા, પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ તેમની બદલી થઇ રહી ન હતી. આથી પરેશાન મેજર જનરલે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી.

મેજર જનરલ રાજપાલ દિલ્હીમાં પત્ની અને પુત્રી સાથે રહેતા હતા. શુક્રવારે સાંજે સાડા ચાર વાગે તેમની પત્ની જ્યારે રૂમમાં આવી તો ત્યાં પતિને પંખાથી લટકેલા જોઇને બૂમો પાડવા લાગી. પછી પડોશીઓ અને ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણકારી આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X