શીલા દીક્ષિત વિરૂદ્ધ લડશે કેજરીવાલ, ભર્યું ઉમેદવારી પત્ર
નવી દિલ્હી, 17 નવેમ્બર: આગામી 4 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલનો સામનો મુખ્યમંત્રી તથા કોંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિત અને ભાજપની પ્રદેશ એકમના પૂર્વ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે થશે.
પોતાની માતા ગીતા, પિતા ગોવિંદ રામ અને પત્ની સુનીતા સાથે જામનગર હાઉસ સ્થિત જિલ્લાધિકારી કાર્યાલય જઇને અરવિંદ કેજરીવાલે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'હું આ ચૂંટણી પોતાના માટે નહી પરંતુ આમ આદમી માટે લડી રહ્યો છું. મે તેમના તરફથી મારી ઉમેદવારી નોંધાવી છે. હું ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે ઉમેદવારી નોંધાવી છે કારણ કે મુખ્યમંત્રી દ્વારા ઉમેદવારી નોંધાવીની રાહ જોઇ રહ્યો હતો. હું તેમના વિરૂદ્ધ ચૂંટણી લડવા માંગતો હતો.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તેમના વિરૂદ્ધ બે કેસ દાખલ છે. એક કેસ શીલા દીક્ષિતે દાખલ કરાવ્યો છે, જ્યારે બીજો કેસ પવન ખેડાએ દાખલ કરાવ્યો છે. બંને કેસમાં આરોપપત્ર દાખલ કરાવવામાં આવ્યાં છે. ઉપરોક્ત કેસ ઉપરાંત કેટલાક કેસ જનલોકપાલ વિધેયક માટે અણ્ણા હજારેના આંદોલન અને ગત વર્ષે 16 ડિસેમ્બરે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દાખલ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેટલાક કેસ ચૂંટણી આચાર સંહિતાના ભંગ સાથે પણ જોડાયેલા છે.
ગઇકાલ સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 403 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. પોલીસે અરવિંદ કેજરીવાલના માતા-પિતાને ચૂંટણી અધિકારીની ઓફિસમાં જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. અરવિંદ કેજરીવાલના માતા-પિતાએ આશા વ્યક્ત કરી હતી કે તેમનો પુત્ર સારું પ્રદર્શન કરશે. અરવિંદ કેજરીવાલની માતાએ કહ્યું હતું કે 'આપ' 47 સીટો જીતશે, જો કે અરવિંદ કેજરીવાલના પિતાએ સીટોની સંખ્યાને લઇને કોઇપણ જાતની અટકળો લગાવવાની મનાઇ કરી દિધી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
