શીલા દીક્ષિત વિરૂદ્ધ લડશે કેજરીવાલ, ભર્યું ઉમેદવારી પત્ર
નવી દિલ્હી, 17 નવેમ્બર: આગામી 4 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલનો સામનો મુખ્યમંત્રી તથા કોંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિત અને ભાજપની પ્રદેશ એકમના પૂર્વ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે થશે.
પોતાની માતા ગીતા, પિતા ગોવિંદ રામ અને પત્ની સુનીતા સાથે જામનગર હાઉસ સ્થિત જિલ્લાધિકારી કાર્યાલય જઇને અરવિંદ કેજરીવાલે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'હું આ ચૂંટણી પોતાના માટે નહી પરંતુ આમ આદમી માટે લડી રહ્યો છું. મે તેમના તરફથી મારી ઉમેદવારી નોંધાવી છે. હું ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે ઉમેદવારી નોંધાવી છે કારણ કે મુખ્યમંત્રી દ્વારા ઉમેદવારી નોંધાવીની રાહ જોઇ રહ્યો હતો. હું તેમના વિરૂદ્ધ ચૂંટણી લડવા માંગતો હતો.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તેમના વિરૂદ્ધ બે કેસ દાખલ છે. એક કેસ શીલા દીક્ષિતે દાખલ કરાવ્યો છે, જ્યારે બીજો કેસ પવન ખેડાએ દાખલ કરાવ્યો છે. બંને કેસમાં આરોપપત્ર દાખલ કરાવવામાં આવ્યાં છે. ઉપરોક્ત કેસ ઉપરાંત કેટલાક કેસ જનલોકપાલ વિધેયક માટે અણ્ણા હજારેના આંદોલન અને ગત વર્ષે 16 ડિસેમ્બરે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દાખલ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેટલાક કેસ ચૂંટણી આચાર સંહિતાના ભંગ સાથે પણ જોડાયેલા છે.
ગઇકાલ સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 403 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. પોલીસે અરવિંદ કેજરીવાલના માતા-પિતાને ચૂંટણી અધિકારીની ઓફિસમાં જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. અરવિંદ કેજરીવાલના માતા-પિતાએ આશા વ્યક્ત કરી હતી કે તેમનો પુત્ર સારું પ્રદર્શન કરશે. અરવિંદ કેજરીવાલની માતાએ કહ્યું હતું કે 'આપ' 47 સીટો જીતશે, જો કે અરવિંદ કેજરીવાલના પિતાએ સીટોની સંખ્યાને લઇને કોઇપણ જાતની અટકળો લગાવવાની મનાઇ કરી દિધી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
