દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને મેદાનમાં ઉતારશે AAP
આપ પ્રવક્તા મનિષ સિસોદિયાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે કેજરીવાલ ચૂંટણી લડશે પરંતુ કઇ સીટ પરથી ચૂંટણી લડશે તે અમે કહી ના શકીએ. તેમને દિલ્હીની ચૂંટણીમાં ભાગ લેવાની માંગ કરી હતી. તેમને પુછવામાં આવ્યું હતું કે શું પાર્ટીનું કેન્દ્રિય નેતૃત્વ દિલ્હીની ચુંટણી લડશે, તો મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે આ અંગે નિર્ણય થયો નથી કે મુખ્ય નેતાઓમાંથી કોણ મેદાનમાં ઉતરશે. તેમને બધી 70 વિધાનસભાની સીટો માટે ઉમેદવાર નક્કી કરવા માટે પ્રજા પાસેથી આવેદન અને સલાહ માંગવાની પાર્ટીની પહેલની જાહેરાત કરી છે.
તેમને કહ્યું હતું કે અમારે ચૂંટણી લડવા માટે ચરિત્રવાન ઉમેદવારોની જરૂર છે. અમે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજથી શરૂ કરીશું. જનતા પાંચ મે સુધી પોતાની સલાહ આપી શકે છે અને તપાસ સમિતિ તેમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે ત્યારબાદ રાજકીય દળોની સમિતિ ઉમેદવારોના ઇન્ટરવ્યું લેશે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ જેવી મુખ્ય પાર્ટીઓ બંધ રૂમમાં ચર્ચા બાદ પોતાના ઉમેદવારોની પસંદ કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદ હોય છે. તેમને કહ્યું હતું કે અમે તેમને પડકાર ફેંકી રહ્યાં છીએ. અમારા ત્યાં એક પરિવારમાંથી બે સભ્યો ચૂંટણી લડશે નહી.