હવે ગરીબોને સબસિડીવાળા 12 સિલિન્ડર મળશે
મુખ્યમંત્રી શિલા દિક્ષિતની અધ્યક્ષતામાં સોમવારે દિલ્હી મંત્રીમંડળની બેઠકમાં કેરોસીન ફ્રી યોજનાના લાભાર્થીઓને દર વર્ષે નવના બદલે 12 સબસિડીવાળા સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના તે નિર્ણય સાથે જોડીને જોવામાં આવે છે જે મુજબ બધા વપરાશકર્તા માટે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા છ થી વધારીને નવ કરી દેવામાં આવી છે.
મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી શિલા દિક્ષિતે સંવાદદાતાઓ કહ્યું હતું કે દિલ્હી ગરીબોની મદદ કરવામાં આગળ રહ્યું છે. જ્યારે કેન્દ્રએ સબસીડીવાળા સિલિન્ડરોની સંખ્યા ઘટાડીને છ કરી દિધી છે, ત્યારે દિલ્હી સરકારે ગરીબોને નવ સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કેન્દ્ર સરકારે આ સિલિન્ડરો સંખ્યા વધારીને નવ કરી દિધી છે, તો દિલ્હીએ તાત્કાલીક પહેલ કરતાં કેરોસીન મુક્ત યોજનામાં સામેલ લાખો પરિવારોને સબસિડી 12 સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શિલા દિક્ષિતે જણાવ્યું હતું કે ગરીબી રેખા નીચે આવતા અંત્યોદય અન્ન યોજના હેઠળ આવનાર હતા તથા જેન્ડર રિસોર્સ સેન્ટરના લગભગ ચાર લાખ કાર્ડ ધારકોને મંત્રીમંડળના નિર્ણયનો લાભ મળશે. તેમને કહ્યું હતું કે આ ગરીબ પરિવારોને વધુ ત્રણ સબસિડીવાળા સિલિન્ડર આપવા માટે 15 કરોડ રૂપિયાની વધારે રાશિ જાહેર કરવામાં આવશે. સરકાર ગેસ સબસિડી અને સબસિડીવાળા સિલિન્ડરોના ભાવના અંતરની ભરપાઇ માટે પોતાના તરફથી પ્રતિ સિલિન્ડર 350 રૂપિયા આપશે.