કોલસા કૌભાંડ વિવાદ પર યુપીએ સાથે સપા
નવી દિલ્હી, સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે મંગળવરે કહ્યું હતું કે તેમની પાર્ટી એવું માનતી નથી કે કેન્દ્રની કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે કોલસા બ્લોક ફાળવણી ગોટાળા સંબંધિત સીબીઆઇ રીપોર્ટમાં કોઇ પ્રકારનો હસ્તક્ષેપ કર્યો હોય.
સંવાદદાતાઓ દ્રારા પુછવામાં આવતાં શું તેમને ખોટું લાગે છે કે કેન્દ્રની યુપીએ સરકારે કોલસા બ્લોક ફાળવણી પર સીબીઆઇના રિપોર્ટમાં હસ્તક્ષેપ કર્યો, મુલાયમ સિંહે સંસદ ભવનની બહાર સંવાદદાતાઓને કહ્યું હતું કે અમે એવું માનતા નથી, પરંતુ અમારું માનવું છે કે સરકારે કોઇ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ આપવું જોઇએ.
સપા અધ્યક્ષે એમપણ કહ્યું હતું કે જે મુદ્દાઓનો સામનો કરી રહ્યાં છે કે તેમાં કોલસા ફાળવણી કૌંભાડ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો નથી. તેમને કહ્યું હતું કે ચીને બોર્ડર પર આવેલી આપણી 12 કિલોમીટરની જમીન હડપી લીધી છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. મીડિયા તેને નજર કેમ કરી રહ્યું છે?