Delhi Cantt case : પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઇ
દિલ્હી કેન્ટ કેસની બળાત્કાર, હત્યા અને બાદમાં માતાપિતાની સંમતિ વગર અંતિમ સંસ્કાર કરી દેવાયેલી 9 વર્ષની બાળકીના માતા પિતા સાથે રાહુલ ગાંધીનો ફોટો શેર કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હીના વકીલ વિનીત જિંદાલ દ્વારા દિલ્હી કેન્ટ કેસની બળાત્કાર, હત્યા અને બાદમાં માતાપિતાની સંમતિ વગર અંતિમ સંસ્કાર કરી દેવાયેલી 9 વર્ષની બાળકીના માતા પિતા સાથે રાહુલ ગાંધીનો ફોટો શેર કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધીનું આ કૃત્ય ભારતીય દંડ સંહિતા (IPC)ના જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 748ની કલમ 23 હેઠળ ગુનો છે.
દિલ્હી કેન્ટમાં થયેલા બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ મંગળવારના રોજ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ટ્વિટર ઈન્ડિયાને નોટિસ ફટકારીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે કથિત રીતે જાતીય અપરાધોથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

NCPCRના ચેરપર્સન પ્રિયંક કાનોંગોએ ટ્વિટર પર કહ્યું કે, બાળ અધિકાર સંસ્થાએ અહેવાલોની જાણ કર્યા બાદ કાર્યવાહી કરી અને કોંગ્રેસના નેતા પર તેના માતાપિતાનો ફોટો પોસ્ટ કરીને સગીર બળાત્કાર પીડિતાની ઓળખને તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસે સગીરાની માતાના નિવેદનના આધારે ચાર આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે. સગીરાની માતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી પર રવિવારના રોજ તેમની બાળકી પર બળાત્કાર, હત્યા અને તેમની સંમતિ વિના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આરોપી વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 376 અને 506 હેઠળ જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને SC/ST અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી મળ્યા હતા પીડિત પરિવારને
રાહુલ ગાંધીએ દિલ્હીમાં મૃતકના પરિવાર પાસે પહોંચીને તેમને શાંત્વના આપી હતી. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, દિલ્હીના ઓલ્ડ નંગલ સ્મશાનમાં બાળકી સાથે શરમજનક ઘટના બની અને તેની હત્યા કરી દેવામાં આવી. આપણે એ બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવાનો છે. મે પીડિત પરિવાર સાથે વાત કરી, તેમને ન્યાય ઈચ્છે છે, બીજુ કંઈ નહીં. તેમને કહી રહ્યા છે કે, તેમને ન્યાય નથી આપવામાં આવી રહ્યો, અમને આ કેસમાં મદદ જોઈએ છે. તેમને અમે મદદ કરવાની ખાત્રી આપી છે. હું પીડિત પરિવાર સાથે ઉભો છું અને તેમને ન્યાય ન મળે ત્યાં સુધી સાથ આપીશ. ગભરાશો નહીં.
ઘટના અંગે માયાવતીએ ટ્વીટ કર્યું
બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ બુધવારના રોજ ટ્વિટ કર્યું હતું કે, દિલ્હી કેન્ટના નાગલ ગામમાં 9 વર્ષની દલિત દીકરીની બળાત્કાર બાદ હત્યા અને પછી તેના મૃતદેહને સળગાવી દેવાનું કૃત્ય અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે. બહુજન સમાજવાદી પાર્ટીએ વિલંબ કર્યા વગર દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની માગ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
દિલ્હીના કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે કથિત બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પરિવારનો આરોપ છે કે, બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેના મૃતદેહનો બળજબરીપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરતા DCP પ્રતાપ સિંહે બુધવારના રોજ જણાવ્યું હતું કે, બાળકીના શરીરના બાકીના ભાગોનું પોસ્ટમોર્ટમ મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર્સના બોર્ડે કહ્યું છે કે, શરીરના ભાગોના પોસ્ટમોર્ટમ પરથી મૃત્યુનું કારણ જાણી શકાતું નથી. અમે વધેલા અવશેષો પરિવારને સોંપીશું.
DCP પ્રતાપ સિંહે જણાવ્યું કે, લાઇ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ માટે આરોપીની સહમતિ જરૂરી છે. જો આરોપી સહમત થશે, તો અમે લાઇ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ પણ કરીશું. અમે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાંથી રિમાન્ડ પર લેશું અને તેમની પૂછપરછ કરીશું.
મૃતકોના પરિવારજનોનો આરોપ - બળજબરીપૂર્વક કરાયો અંતિમ સંસ્કાર
પીડિત પરિવારનુ કહેવુ છે કે, તેમની બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને પછી હત્યા કરી દેવામાં આવી. ત્યાં સુધી કે માતાપિતાની સંમતિ વિના તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ તરફ અધિકારીઓએ બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં પારદર્શિતાની વાત કહી. પોલિસના જણાવ્યા મુજબ આ મામલે સ્મશાનઘાટના પૂજારી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલિસનુ કહેવુ છે કે આ 4 આરોપીઓ પર દિલ્લી પોલિસે ગેંગરેપ, હત્યા, પૉક્સો, એસસી-એસટી એક્ટ, જણાવ્યા વિના શબના અંતિમ સંસ્કાર કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિત ઘણા કલમો લગાવી છે. પોલિસ રેકૉર્ડ મુજબ ઘટના રવિવાર(1 ઓગસ્ટ) સાંજે 5.30 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેની છે. જ્યારે બાળકી સાથે ઘટના બની અને તેને સળગાવી દેવામાં આવી. બે દિવસ બાદ આ મામલાએ જોર પકડ્યું છે.
પોલીસ રિપોર્ટ મુજબ સમગ્ર ઘટનાક્રમ
- 9 વર્ષીય બાળકી રવિવારની સાંજે લગભગ સાડા 5 વાગે પોતાના ઘર પાસે સ્થિત સ્મશાન ઘાટના વૉટર કૂલરમાંથી ઠંડુ પાણી લેવા માટે પોતાના ઘરેથી નીકળી હતી.
- સાંજે લગભગ 6 વાગે સ્મશાન ઘાટના પૂજારી રાધેશ્યામ અને પીડિતાની માને જાણતા બે-ત્રણ લોકોએ તેને સ્મશાનમાં બોલાવી અને બાળકીનુ શબ બતાવ્યુ.
- પૂજારીએ કહ્યુ કે કૂલરનુ પાણી પીતી વખતે તેને કરન્ટ લાગી ગયો. ત્યારબાદ આરોપી પૂજારીઓ મૃતક બાળકીને પરિવારજનોની મરજી વિના જ મૃતક બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા.
- બાળકીની મા બૂમાબૂમ કરવા લાગી. જેનાથી લગભગ 200 લોકો સ્મશાન ઘાટ પર ભેગા થઈ ગયા. સૂચના મળતા પોલીસ આવી પહોંચી.
- બાળકીની માએ કહ્યુ કે, મે બાળકીના શરીર પર ઈજાના નિશાન જોયા અને તેના હોઠ વાદળી થઈ ગયા હતા. મારી દીકરી સાથે ખોટુ કામ કરવામાં આવ્યુ અને પછી તેને મારી નાખવામાં આવી છે. જેના પર પોલીસે નિવેદન નોંધીને FIR નોંધી છે.
- આરોપી પૂજારીની ધરપકડ કરી લેવામાં આવી. આ સાથે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ફૉરેન્સિકની ટીમોને પણ બોલાવવામાં આવી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
