હવે નોકરી નહીં કરે અરવિંદ કેજરીવાલની પત્ની, લીધો VRS
હાલમાં જ અરવિંદ કેજરીવાલ તેમના આખા પરિવાર સાથે ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાતે ગયા હતા. એટલું જ નહીં તેમની આ યાત્રા દરમિયાન ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ હવે નોકરી નહીં કરે. તેમને પોતાની સર્વિસથી વીઆરએસ લઈ લીધો છે. આપણે જણાવી દઈએ કે સુનીતા ભારતીય રાજસ્વ વિભાગમાં આસિસ્ટન્ટ એડિશનલ ડાયરેક્ટરની પોસ્ટ પર હતા.

સુનીતાએ આ મામલે કેન્દ્રીય પત્યક્ષ બોર્ડને અરજી આપી હતી જેને મંજુર કરી લેવામાં આવી છે. હવે સુનીતા કેજરીવાલની 15 જુલાઈ 2016થી સેવા નિવૃત્તિ માની લેવામાં આવશે.
સુનીતાએ 22 વર્ષ નોકરી કરી છે. સુનીતા અને તેમના પતિ અરવિંદ કેજરીવાલ બંને રાજસ્વ વિભાગમાં કમિશનર પદ પર જ હતા. પરંતુ અરવિંદ કેજરીવાલે 2006માં જ વીઆરએસ લઈ લીધો હતો.












Click it and Unblock the Notifications
