Delhi MCD Exit Poll : AAP ના ઝાડુથી સાફ થઇ જશે BJP, એક્ઝિટ પોલમાં સામે આવ્યા આંકડા
Delhi MCD Exit Poll : દિલ્હી નગર નિગમની ચૂંટણી પરિણામના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહી છે. આ આંકડાઓએ દિલ્હી ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ સાથે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Delhi MCD Exit Poll : દિલ્હી નગર નિગમની ચૂંટણી પરિણામના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહી છે. આ આંકડાઓએ દિલ્હી ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ સાથે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 149-171 બેઠક મળી શકે છે. આ સાથે ભાજપને માત્ર 69-91 બેઠકો મળી શકે છે. આ સાથે કોંગ્રેસને 3-7 બેઠક મળી શકે છે. આ ઉપરાંત 5-9 સીટો અન્યને મળી શકે છે.

દિલ્હી એક્ઝિટ પોલના પરિણામો પર ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, જો એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, તેમ જો તે સાચુ નીકળશે તો આમ આદમી પાર્ટીની ડબલ એન્જિન સરકાર હશે. જ્યારે આ લોકો દારૂની દુકાનો ખોલવા માંગતા હતા, ત્યારે MCDએ મંજૂરી આપી ન હતી. હું માનું છું કે, અમે એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી કરતા, અમે વાસ્તવિક પરિણામોની રાહ જોઈશું.
કોંગ્રેસના પ્રવક્તા આલોગ શર્માએ જણાવ્યું હતું કે, 2007માં કોંગ્રેસના ધારાસભ્યોએ જે રીતે કોર્પોરેટરોને હરાવ્યા હતા, તે પછીથી જ પાર્ટીની
સમસ્યાઓ શરૂ થઈ હતી. શીલાજીના ગયા પછી દિલ્હીમાં અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે. આલોક શર્માએ કહ્યું કે, હું સંમત છું કે દિલ્હીમાં
અમારી પાર્ટીએ ઘણી ભૂલો કરી છે, જેના કારણે અમારી હાલત દયનીય છે.
ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ જે રીતે AAP ના MLA, AAP ના કાઉન્સિલર પોસ્ટર લગાવ્યા હતા, તેની અસર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં જતી જોવા મળી રહી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, આ કહેવાથી AAPના ધારાસભ્ય તાહિર હુસૈન યાદ આવે છે. તેથી જ આ સૂત્ર યોગ્ય નથી લાગતું. હવે જોવાનું એ રહે છે કે, શું દિલ્હીમાં MCD ચૂંટણીમાં AAP મોટો ફરક પાડશે કે, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરશે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો 4 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, MCD ચૂંટણીમાં કુલ મતદાન 50 ટકા હતું. જોકે, છેલ્લી બે ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં મતદાન ઓછું થયું હતું. એમસીડીમાં કુલ 250 કાઉન્સિલરોની ચૂંટણી માટે મતદાન થયું હતું, એમસીડીના મતોની ગણતરી 7 ડિસેમ્બરના રોજ થશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
