લાલબત્તી પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, ખતમ કરો લાલબત્તીનું કલ્ચર

નિયમ મુજબ ફક્ત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ અને સેનાની ગાડીમાં સાયરન હોવું જોઇએ બાકી બધાને તેને હટાવી દેવા જોઇએ. તેના માટે કોર્ટના આદેશની જરૂરિયાત નથી, સરકાર પોતે આ કરી શકે છે. કોર્ટના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારને લેખિત આદેશ આપવાની જરૂરિયાત નથી. આ કાયદાકીય જોગવાઇ છે જેનું પાલન કરવું જરૂરી છે. જસ્ટિસ જીએસ સિંઘવી અને કુરિયન જોસેફની પીઠે રાજ્ય સરકારને કહ્યું હતું કે ગેરકાયદેસર લાલબત્તી લાગેલા વાહનોનું ચલણ કાપવામાં આવે એટલું જ નહી વાહન પણ જપ્ત કરવામાં આવે.
આ પહેલાં ન્યાયમૂર્તિ હરિશ સાલ્વેએ પણ લાલબત્તી અને સાયરનના ઉપયોગનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે લાલબત્તી લગાવવાની મંજૂરી લગાવવાની પરવાનગી ફક્ત બંધારણીય સત્તાના વડાઓને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા સંસદ અને વિસના સ્પીકર, દેશના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોને હોવી જોઇએ. પોલીસ, સેના, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અથવા એવા કોઇ કાર્ય નિશ્વિત વાહનોને છોડીને અન્ય કોઇપણ વાહનોને લાલબત્તી લગાવવાની પરવાનગી હોવી જોઇએ નહી.
ન્યાયપીઠે દિલ્હી સરકારના વકિલ સિદ્ધાર્થ લૂથરાને કહ્યું હતું કે તે સરકારને આ અંગે જણાવે અને આશ્વત કરે કે વાહનોમાંથી ગેરકાયદેસર સાયરન અને લાલ બત્તીઓ ઉતારવામાં અવે. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં લાલબત્તી અને સાઇરન ફક્ત મુખ્યમંત્રી, હાઇકોર્ટના જજ, દિલ્હી એરિયાના સેન્ય કમાન્ડર, વિધાનસભા સ્પીકર, નેતા પ્રતિપક્ષ, કેબિનેટ મંત્રી, પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો જ લગાવી શકે છે. આ ઉપરાંત સાંસદ-ધારાસભ્ય, હાઇકોર્ટના જજ, જિલ્લા જજ, સરકારી અધિકારીઓ વાહન પર લગાવી શકે નહી. કોર્ટના આદેશ છતાં લાલબત્તીનો ઉપયોગ કરવામાં નિયમોનું પાલન નહી થાય તો લાલબત્તીવાળી ગાડીને તાત્કાલિક જપ્ત કરવામાં આવે.












Click it and Unblock the Notifications
