પંજાબમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવશે મફત યુનિફૉર્મ, આપ સરકારનો મહત્વનો નિર્ણય

પંજાબની સરકારી સ્કૂલોમાં ભણતા 8માં ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓને મફત યુનિફૉર્મ વહેંચાશે.

ચંદીગઢઃ પંજાબની સરકારી સ્કૂલોમાં ભણતા 8માં ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓ અને એસસી/એસટી/બીપીએલ ધારક છાત્રોને યુનિફૉર્મ વિતરણ કરવામાં આવશે. શિક્ષણમંત્રી ગુરમીત સિંહ મીત હેયરે આ ઘોષણા કરી. મીતે કહ્યુ કે અમારી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જલ્દી મફત યુનિફૉર્મ વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આ વિશે શિક્ષણ વિભાગ તરફથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

students

રાજ્યની સત્તારુઢ આમ આદમી પાર્ટીના નેતા રહેલા ગુરમીતનુ કહેવુ છે કે સરકાર દ્વારા સરકારી સ્કૂલોના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને મફત યુનિફૉર્મ આપવા માટે 92.95 કરોજ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે. હેયરે શિક્ષણ વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે યુનિફૉર્મ ખરીદવા અને કોઈ પણ વિશેષ દુકાનથી યુનિફૉર્મ ખરીદવા સંબંધી લેખિત અને મૌળિક આદેશ ન આપવા, સરકારના આદેશનુ પાલન કરવુ. શિક્ષણ મંત્રી ગુરમીત સિંહના જણાવ્યા મુજબ વિભાગને સરકારી સ્કૂલોના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને મફત યુનિફૉર્મ આપવા માટે 92.95 કરોડ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે.

ખાનગી સ્કૂલોની ફી વધારવા પર તત્કાલ પ્રભાવથી રોક

થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભગવંત માને પણ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ખાનગી શાળાઓની ફી વધારવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તમામ દુકાનોમાં બાળકોના ગણવેશ અને પુસ્તકો પણ ઉપલબ્ધ રહેશે. માને કહ્યુ હતુ કે કોઈપણ ખાનગી શાળા કોઈ ચોક્કસ દુકાનમાંથી બાળકોના પુસ્તકો અને ગણવેશ ખરીદવાનું કહેશે નહિ. આ માટે પંજાબ સરકાર ટૂંક સમયમાં પોલિસી બનાવીને જાહેર કરશે. તેમણે કહ્યુ કે ખાનગી શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ સત્રમાં પ્રવેશ ફીમાં એક રૂપિયાનો પણ વધારો નહિ કરે. ફી વધારા અંગે આગામી દિવસોમાં વિગતવાર માહિતી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X