વારાણસીથી મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે કેજરીવાલ!
નવી દિલ્હી, 3 માર્ચ: આમ આદમી પાર્ટીની કાનપુર રેલીમાં રવિવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કરનાર અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં તેમને પડકાર ફેંકી શકે છે. આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓના નિવેદન કંઇક તે તરફ ઇશારો કરે છે. આપના નેતા મનિષ સિસોદિયાએ રવિવારે કાનપુર રેલી દરમિયાન કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે તો અરવિંદ કેજરીવાલ તેમના વિરૂદ્ધ ઉતરશે. જો કે આપ દ્વારા આ અંગે કોઇ આધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ આપ ભલે તેની જાહેરાત ન કરી રહી હોય, પરંતુ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અરવિંદ કેજરીવાલને ઉતરવાની તૈયારી ચાલી રહી છે. મનિષ સિસોદિયા ઉપરાંત આપના નેતા સંજય સિંહે પણ કહ્યું હતું કે લોકો ઇચ્છે છે કે અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે. અમે જનભાવનાઓનું સન્માન કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. જો કે સમાચાર એવા પણ છે કે વારાણસીથી ભાજપના સિટિંગ એમપી મુરલી મનોહર જોશી આ સીટને ખાલી કરવા માટે તૈયાર નથી. આપ નેતાઓના આ નિવેદનોથી અરવિંદ કેજરીવાલ Vs નરેન્દ્ર મોદીની અટકળોને હવા આપી દિધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની ચર્ચાઓ વચ્ચે ગત દિવસોમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આપનો કોઇપણ ધારાસભ્ય લોકસભા ચૂંટણી લડશે નહી. એવામાં માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ સંભવત દિલ્હી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, પરંતુ સંજય સિંહ અને મનીષ સિસોદિયાના નિવેદનોથી ફરી અટકળો તેજ કરી દિધી છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
