Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિમાર કેજરીવાલના ઘરે જ બોલાવાઇ પાણી પુરવઠાની બેઠક, મફત પાણીની જાહેરાત આજે

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ જોવા જેવો છે. બિમાર હાલતામાં પણ તે પોતાના કામમાંથી રજા લઇ રહ્યાં નથી. ડાયરિયા અને તાવથી પીડિતા અરવિંદ કેજરીવાલે ભલે આજે ઓફિસ જઇ શક્યા નથી, પરંતુ જનતાને વાયદાઓથી પાછી પાની કરવાના નથી. આજે દિલ્હીમાં મફત પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય થવાનો હતો, પરંતુ બિમાર હોવાના લીધે કેજરીવાલ ઓફિસ જઇ ન શક્યા.

લોકોને લાગ્યું કે આજે આ નિર્ણય લેવાશે નહી, પરંતુ દિલ્હીવાસીઓને મફત પાણી આપવા માટે બિમાર હોવાછતાં કેજરીવાલે પોતાના ઘરે એક બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે ચાર વાગે અરવિંદ કેજરીવાલના ઘરે થશે. આ બેઠકમાં પાણી પુરવઠાના અધિકારીઓ ભાગ લેશે. માનવામાં આવે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાણી પુરવઠાના અધિકારીઓની આજે જ બેઠક કરી 700 લીટર પાણી મફત આપવાનો નિર્ણય કરવાનો આદેશ કર્યો છે.

aap-kejriwal

બિમાર અરવિંદ કેજરીવાલ પોતાનો એક દિવસ પણ નકામો જવા દેવા માંગતા નથી. બિમાર હોવાછતાં અરવિંદ કેજરીવાલ ઇચ્છે છે કે આ નિર્ણય આજે જ જાહેર કરવામાં આવે. બિમારીની અસર તે પોતાના કામ પડવા દેવા માંગતા નથી. એટલા માટે ડૉક્ટરોના પરામર્થ છતાં પણ અરવિંદ કેજરીવાલ આરામ કરવાના બદલે કામમાં લાગેલા છે. 4 વાગે દિલ્હી પાણી પુરવઠાના અધિકારીઓની સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલ 700 લીટર પાણી મફત આપવાને લઇને જાહેરાત કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X