For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિમાર કેજરીવાલના ઘરે જ બોલાવાઇ પાણી પુરવઠાની બેઠક, મફત પાણીની જાહેરાત આજે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ જોવા જેવો છે. બિમાર હાલતામાં પણ તે પોતાના કામમાંથી રજા લઇ રહ્યાં નથી. ડાયરિયા અને તાવથી પીડિતા અરવિંદ કેજરીવાલે ભલે આજે ઓફિસ જઇ શક્યા નથી, પરંતુ જનતાને વાયદાઓથી પાછી પાની કરવાના નથી. આજે દિલ્હીમાં મફત પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય થવાનો હતો, પરંતુ બિમાર હોવાના લીધે કેજરીવાલ ઓફિસ જઇ ન શક્યા.

લોકોને લાગ્યું કે આજે આ નિર્ણય લેવાશે નહી, પરંતુ દિલ્હીવાસીઓને મફત પાણી આપવા માટે બિમાર હોવાછતાં કેજરીવાલે પોતાના ઘરે એક બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે ચાર વાગે અરવિંદ કેજરીવાલના ઘરે થશે. આ બેઠકમાં પાણી પુરવઠાના અધિકારીઓ ભાગ લેશે. માનવામાં આવે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાણી પુરવઠાના અધિકારીઓની આજે જ બેઠક કરી 700 લીટર પાણી મફત આપવાનો નિર્ણય કરવાનો આદેશ કર્યો છે.

aap-kejriwal

બિમાર અરવિંદ કેજરીવાલ પોતાનો એક દિવસ પણ નકામો જવા દેવા માંગતા નથી. બિમાર હોવાછતાં અરવિંદ કેજરીવાલ ઇચ્છે છે કે આ નિર્ણય આજે જ જાહેર કરવામાં આવે. બિમારીની અસર તે પોતાના કામ પડવા દેવા માંગતા નથી. એટલા માટે ડૉક્ટરોના પરામર્થ છતાં પણ અરવિંદ કેજરીવાલ આરામ કરવાના બદલે કામમાં લાગેલા છે. 4 વાગે દિલ્હી પાણી પુરવઠાના અધિકારીઓની સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલ 700 લીટર પાણી મફત આપવાને લઇને જાહેરાત કરી શકે છે.

English summary
Delhi Jal Board officials will be meeting on Monday at 4 pm at Kejriwal's residence and an announcement on 700 litres of free water per day is likely to be made. Kejriwal who is currently unwell was scheduled to chair the meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X