મોદીના મંત્રાલયોમાં ફોનની સાથે-સાથે પેન પર પણ પાબંધી
નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને સ્ચિંગ ઓપ રેશનોથી બચવાની સલાહ શું આપી મંત્રીઓએ પોતાની ઓફિસોમાં નવી-નવી પાબંધી લગાવવાનું શરૂ કરી દિધું. નરેન્દ્ર મોદીના એક મંત્રીએ તો પોતાની ઓફિસમાં પેન સુધી લાવવાની મનાઇ કરી દિધી છે. તો બીજી તરફ કેટલાક મંત્રાલયોમાં મોબાઇલ ફોન પર પાબંધી લગાવી દિધી છે. મંત્રીઓ મુલાકાત કરનારાઓને સેલફોન ઉપયોગ કરવાની પરવાનગી નથી.
મોટાભાગના મંત્રીઓના કાર્યકાળની બહાર સેલફોનનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ નોટિસના રૂપમાં ચિપકાવી દેવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક મંત્રાલયોની બહાર સેલફોન જમા કરાવવા માટે કાઉન્ટર પણ બનાવી દેવામાં આવ્યા છે. કૃષિ રાજ્યમંત્રી સંજીવ બાલિયાનના કાર્યાલયની બહાર એક નોટિસ ચોંટાડવામાં આવી છે, જેના પર સેલફોન અને પેનને કાર્યાલયમાં લઇ ન જવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
જો કે મંત્રીજીની દલીલ છે કે પેનમાં 'સ્પાઇ કેમેરા' લગાવીને સરળતાથી સ્ટિંગ કરવામાં આવી શકે છે. એટલા માટે ઓફિસમાં પેન પર પાબંધી લગાવવામાં આવી છે. તો બીજી તરફ માનવ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની અને મહિલા બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીની ઓફિસની બહાર પણ આ પ્રકારની નોટીસ લગાવવામાં આવી છે.