Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM મોદીએ નેહરુનું નામ હટાવી કર્યું 'પ્રધાનમંત્રી મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન, ખરીદી પહેલી ટિકિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ​દિલ્હીમાં તીન મૂર્તિ ભવનમાં વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ તેમણે પહેલા ટિકિટ ખરીદી અને પછી એક ઝલક જોવા માટે અંદર ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ​દિલ્હીમાં તીન મૂર્તિ ભવનમાં વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ તેમણે પહેલા ટિકિટ ખરીદી અને પછી એક ઝલક જોવા માટે અંદર ગયા હતા. વડાપ્રધાનના મ્યુઝિયમમાં અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. પહેલા તે નેહરુ મ્યુઝિયમ બિલ્ડિંગ તરીકે ઓળખાતું હતું. ઉલ્લેખનીય છે કે, ગત મહિને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નેહરુ મ્યુઝિયમને પ્રધાનમંત્રી મ્યુઝિયમમાં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરે છે આ મ્યુઝિયમ

કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સરકારે પૂર્વ વડાપ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ નિર્ણય લીધો છે. આપણે બધા વડાપ્રધાનના યોગદાનને ઓળખવા માગીએ છીએ. વડાપ્રધાનના સંગ્રહાલયમાં તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાનો વિશે મૂલ્યવાન માહિતી માટે તેમના પરિવારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ પત્રવ્યવહાર, કેટલીક અંગત વસ્તુઓ, ભેટ, સ્મારક, સન્માન, મેડલ, સ્મારક સ્ટેમ્પ, સિક્કા વગેરે પણ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દૂરદર્શન, ફિલ્મ વિભાગ, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા ગૃહો (ભારતીય અને વિદેશી), પ્રિન્ટ મીડિયા, વિદેશી સમાચાર એજન્સીઓ, વિદેશ મંત્રાલય વગેરે જેવી સંસ્થાઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

વડાપ્રધાનો વિશે જાણવાનો મોકો મળશે

વડાપ્રધાનો વિશે જાણવાનો મોકો મળશે

મ્યુઝિયમમાં જવાહરલાલ નેહરુ, ગુલઝારી લાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ,ચંદ્રશેખર, નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી, એચડી દેવેગૌડા, ઇન્દ્રકુમાર, ગુજરાલ અને મનમોહનસિંહનો સમાવેશ કરવામાં આવશે.

શા માટે ખાસ છે પ્રધાનમંત્રી મ્યુઝિયમ

પ્રથમ ગેલેરીમાં 1947નો ઈતિહાસ બતાવવામાં આવશે. અહીં તમને પંડિત જવાહરલાલ નેહરુ વિશે પણ જાણવા મળશે. ત્યાર બાદ ભારતનું ભાવિ જીવન જાણવા મળશે.તેની બાજુમાં એક નવી ઇમારત છે. અહીં તમને સ્વતંત્ર ભારતના તમામ વડાપ્રધાનો વિશે જાણવા મળશે. પરંપરાગતથી આધુનિક ભારત સુધીની માહિતી મળશે.

ઉભરતા ભારતનું ડિઝાઇન પ્રતીક

ઉભરતા ભારતનું ડિઝાઇન પ્રતીક

પ્રધાનમંત્રી મ્યુઝિયમ ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઈને બંધારણના નિર્માણ સુધીની વાર્તા જણાવશે. તે જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે આપણા વડાપ્રધાનોએદેશને વિવિધ પડકારોમાંથી બચાવ્યો અને દેશની સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત કરી છે.

મ્યુઝિયમ બિલ્ડિંગની ડિઝાઇન ઉભરતા ભારતની વાર્તાથી પ્રેરિત છે. તેને નેતાઓનાહાથનો આકાર આપવામાં આવ્યો છે. ડિઝાઇનમાં ટકાઉ અને ઉર્જા સંરક્ષણની સુવિધા છે.

અદ્યતન તકનીકોનો ઉપયોગ

પ્રધાનમંત્રી મ્યુઝિયમમાં અત્યાધુનિક ટેક્નોલોજી આધારિત સંદેશાવ્યવહારની સુવિધાઓ યુવાનોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવા માટે ગોઠવવામાં આવી છે.

પ્રદર્શનને અત્યંત ઇન્ટરેક્ટિવ બનાવવા માટે હોલોગ્રામ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, મલ્ટી-ટચ, મલ્ટી મીડિયા, ઇન્ટરેક્ટિવ કિઓસ્ક, કોમ્પ્યુટરાઇઝ્ડકાઇનેટિક સ્કલ્પચર્સ, સ્માર્ટફોન એપ્લિકેશન્સ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન વગેરે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X