For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 લોકો માટે મહિને 600 રૂપિયાનું કરિયાણું પુરતું છે : શીલા દિક્ષિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sheila-dikshit
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું કહેવું છે કે કેશ સબસીડીના રૂપમાં મળનારા 600 રૂપિયા પ્રતિમાહ એક ગરીબ પરિવાર માટે કરિયાણા ખર્ચ માટે પર્યાપ્ત છે. દિલ્હીમાં યુપીએ-2 સરકારની બહુપ્રતિક્ષીત યોજના 'કેશ ફૉર ફૂડ' અન્નશ્રી યોજનાના શુભારંભ પર મુખ્યમંત્રી શીલા દિક્ષિતના આ કથનથી ફરી એકવાર વિપક્ષી દળોના કાન ઉભા થઇ ગયા છે.

શીલા દિક્ષીતે સ્પષ્ટ કહ્યું હતું કે આ સબસિડી પાંચ સભ્યોના પરિવારમાં મહિને 600 રૂપિયાનો ખર્ચ પર્યાપ્ત છે જેથી તે દાળ, રોટલી અને ભાત ખરીદી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી શનિવારે ત્યાગરાજ સ્ટેડિયમમાં 'કેશ સબસિડી યોજના'ની યોજનાના અવસરે ભાષણ આપી રહ્યાં હતા તે સમયે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ હાજર હતા.

સ્ટેડિયમની બહાર એક મહિલાએ શીલા દિક્ષિતના નિવેદનને નકારી કાઢતાં કહ્યું હતું કે 5 થી 7 લોકોના પરિવારમાં મહિને 1000 થી 3000 રૂપિયા જેટલો કરિયાણાનો ખર્ચ થાય છે અને તે કહેવાની જરૂર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સબસિડીના પૈસા સીધા લોકોના ખાતાં જમા કરવાની સરકારની યોજના 1 જાન્યુઆરીથી શરૂ થશે. સરકારે કેશ સબસિડી યોજનાને ગેમ ચેન્જર ગણાવતાં તમને તમારા પૈસા તમારા હાથમાંનો નારો આપ્યો હતો. શરૂઆતમાં દેશના 51 જિલ્લાને આવરી લેવામાં આવશે.

English summary
In what came as a shock to many, Delhi Chief Minister Sheila Dikshit said on Saturday that Rs 600 a month was enough to feed a family of five.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X