ધરપકડ બાદ યાસિન મલિકને મોકલાયો શ્રીનગર

યાસિન મલિકે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યાસિન મલિકને સ્પાઇજેટ દ્વારા શ્રીનગર મોકલવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ગૃહ મંત્રાલયને સોપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે યાસિન મલિકને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવાની કાનૂન-વ્યવસ્થાની સમસ્યા ઉભી થઇ શકે છે ત્યારદબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે યાસિન મલિક પૂર્વમાં 'રાષ્ટ્ર વિરોધી' ગતિવિધિઓમાં લુપ્ત છે. યાસિન મલિકે અફજલ ગુરૂને ફાંસી આપવા પર વિરોધ પ્રદર્શન દરમિયાન લશ્કર-એ-તોઇબાના સંસ્થાપક અને ભારતના સર્વાધિક વાંછિત આતંકવાદીઓની યાદીમાં સામેલ હાફિઝ સઇદ સાથે ઇસ્લામાબાદમાં એકમંચ પર જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
