Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાની ત્રીજી લહેર ઘાતક નહીં હોય : CSIR

CSIR એ કહ્યું છે કે, દેશમાં મોટી વસ્તીને કોવિડ રસીનો ડોઝ મળ્યો છે અને રસી કોરોનાને રોકવામાં ખૂબ અસરકારક છે, તેથી કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય.

નવી દિલ્હી : સત્તાવાર રીતે પ્રથમ વખત કોરોનાની ત્રીજી લહેર અંગે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકારની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચ (CSIR)એ કહ્યું છે કે, દેશમાં મોટી વસ્તીને કોવિડ રસીનો ડોઝ મળ્યો છે અને રસી કોરોનાને રોકવામાં ખૂબ અસરકારક છે, તેથી કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય. દેખીતી રીતે અત્યાર સુધી કોરોનાની ત્રીજી લહેર વિશે ઘણી આશંકાઓ ઉભી થઈ રહી હતી, પરંતુ હવે ભારતની મોટી સંસ્થા પાસેથી આ માહિતી મળવી એ ઘણા રાહતના સમાચાર છે.

third wave of covid 19

કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય - CSIR

CSIR ના ડાયરેક્ટર જનરલ ડો. શેખર સી માંડેએ કોરોનાની ત્રીજી લહેર વિશે વાત કરતા જણાવ્યું કે, અમે મોટી વસ્તીને રસીની પ્રથમ અને બીજો ડોઝ આપવામાં સફળ રહ્યા છીએ. રસીઓ રોગને ઘણી હદ સુધી અટકાવે છે અને તેની તીવ્રતા પણ ઘણી ઓછી થાય છે. કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેની તીવ્રતા ઓછી હશે અને તે બીજી લહેર કરતા ઘણી ઓછી હશે.

બે તૃતીયાંશથી વધુ વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ મળી - સરકાર

મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશની 66 ટકા પુખ્ત વસ્તીને અત્યાર સુધી કોવિડ 19 રસીની ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. નીતિ આયોગના સભ્ય અને કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડોક્ટર વી. કે. પોલે કહ્યું હતું કે, 'લગભગ બે તૃતીયાંશ પુખ્ત વયના લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

third wave of Covid 19

એટલે કે, 18 વર્ષથી વધુ ઉંમરના 66 ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. પુખ્ત વસ્તીના લગભગ એક-ચોથા ભાગને બંને ડોઝ આપવામાં આવ્યો છે, જે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

84.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે - કોવિન પોર્ટલ

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે 4.30 કલાક સુધીના કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા અનુસાર દેશમાં કોરોના રસીના 84.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 62.66 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21.99 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં કોરોના રસીકરણની પ્રક્રિયા આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને આ લગભગ 8 મહિનામાં 84.65 કરોડથી વધુ ડોઝ લેવાને એક મોટી સફળતા ગણી શકાય. આ જ કારણ છે કે, ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પણ ભારતમાં કોરોના વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન માટે દેશની પ્રશંસા કરી અને કહ્યું કે, ભારતે જે કર્યું છે તે વિશ્વનો કોઈ પણ દેશ કરી શકતો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X