પેગાસસ મુદ્દે વિપક્ષમાં બે અભિપ્રાય, જાણો કોણે ઉઠાવ્યા સવાલ
વિપક્ષના નેતૃત્વ શુક્રવારની બેઠકમાં 19ના પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પેગાસસ મુદ્દે ભાર મૂકવા અંગે જણાવ્યું કે, આ મુદ્દો સામાન્ય લોકોના પ્રશ્નોથી ભટકાવી રહ્યો છે.
નવી દિલ્હી : વિપક્ષના નેતૃત્વ શુક્રવારની બેઠકમાં 19ના પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પેગાસસ મુદ્દે ભાર મૂકવા અંગે જણાવ્યું કે, આ મુદ્દો સામાન્ય લોકોના પ્રશ્નોથી ભટકાવી રહ્યો છે. મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવું એ હાલના સમયમાં મુખ્ય પડકાર છે.
ઉલ્લેખનીય છે કે, નજીકના સમયમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસમાં અને અન્ય પક્ષના નેતાઓનો વિચાર છે કે, આ પેગાસસ જેવો મુદ્દો એટલા વધુ અસરકારક બનશે નહીં, રાફેલ પણ વિપક્ષ માટે બીજો મુદ્દો બની શકે છે, પણ સામાન્ય લોકો પર તેની કોઈ અસર થઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેને કહ્યું કે, પેગાસસ એક મહત્વનો મુદ્દો છે, પરંતુ તે સામાન્ય જનતાને કેવી રીતે અસર કરે છે? નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેવી રીતે અસર કરે છે?
બીજી તરફ સીતારામ યેચુરીએ તેની સામે દલીલ કરતા કહ્યું કે, વિપક્ષે પેગાસસ મામલો લોકો સમક્ષ મોટા પ્રમાણમાં રાખવાની જરૂર છે, લોકોને જણાવવાની જરૂર છે કે, સરકાર કઈ રીતે સંસ્થાઓને નિયંત્રિત કરી રહી છે, તેમની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની લોકશાહીને જોખમમાં મૂકી રહી છે.
આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને એકહથ્થુ શાસન ઉભુ કર્યું છે.
આ બેઠક દરમિયાન વિપક્ષના નેતાઓના એક વર્ગને લાગ્યું કે, પેગાસસ મુદ્દાને આગળ લઈ જવું એક પડકાર હશે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પેગાસસ જાસૂસીની અસર ચોક્કસપણે જાણી શકાશે. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ એવું માને છે કે, ચોમાસુ સત્રમાં આ રીતે પેગાસસ મુદ્દો ઉઠાવવો ખોટી રણનીતિ હતી. પંજાબ, હરિયાણાના સભ્યો ખુશ ન હતા કે, ખેડૂતોના મુદ્દાની જગ્યાએ પેગાસસ મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ચૂંટણી એક મુદ્દા પર લડી શકાતી નથી. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના ખોટા વહીવટ પર લોકો મત આપશે, કોરોનાની બીજી લહેરમાં જે રીતે તેમને ગાયબ રહ્યા છે, તે મહત્વનો મુદ્દો છે. પેગાસસ જાસૂસી કેસ એક ગંભીર મુદ્દો છે, પરંતુ અન્ય મુદ્દાઓ પણ છે, જેના પર સરકારને ઘેરવી જોઈએ. ભાજપ સરકારના કારણે હાલ દેશ એક મોટી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.
આવા સમયે સપા અને બસપા બંને માને છે કે, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં પેગાસસ મુદ્દા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે.