રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીના મોતથી હાહાકાર, જાણો કારણ?

રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર સમાચારોમાં રહેતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલનું નામ ફરી એક વખત બેદરકારીને લીધે સામે આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે આજનો દિવસ બ્લેકફ્રાઈડે તરીકે સાબિત થયો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળનું ચક્ર એવું ફરી વળ્યું કે, 24 કલાકમાં 17 લોકોએ અલગ અલગ કારણે જીવ ગુમાવ્યો છે. અકસ્માત, હ્રદયના ધબકરા બંધ થઈ જવા સહિતના કારણોથી 17 દર્દીઓના મોત નિપજ્યા છે. અપમૃત્યુના કેસને પગલે સિવિલ હોસ્પિટલ ધમધમી ઊઠી છે.

rajkotcivilhospial

આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો

રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોના મૃત્યુ નોંધાયા અફરાતરફી મચી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં રાત આખી પોસ્ટ મોર્ટમ રૂમ ધમધમતું રહ્યું છે. તો સિવિલ હોસ્પટિલમાં આજનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે.કોઈએ આપઘાત કર્યો, તો કોઈનું હૃદય બંધ પડ્યું, કોઈનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું, આવા અનેક કારણોસર લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે સ્વજનોમાં શોકની કાલિમા ફરી વળી છે.

ઉંદર મામલે નોટિસ ફટકારાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવાનો મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428, 429 મુજબ કાર્યવાહી ન કરવી ? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે. એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટીસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે નોટિસ ફટકારી છે. આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X