CJI ચંદ્રચુડ લેશે સોમનાથ, દ્વારકા અને રાજકોટની મુલાકાત
Rajkot: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વાય બી ચંદ્રચુડ રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે, જેનું નિર્માણ રૂપિયા 110 કરોડના ખર્ચે થયું છે. આ ઈમારતનું ઉદ્ઘાટન સમારોહ શનિવારના રોજ યોજાનાર છે.
ચીફ જસ્ટિસ શુક્રવારની સાંજે 5.30 કલાકે હીરાસર એરપોર્ટ પર આવી પહોંચશે અને હેલિકોપ્ટર દ્વારા સોમનાથ અને દ્વારકાની મુલાકાત લેશે.

તેઓ શનિવારે સવારે રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. નવી કોર્ટ બિલ્ડિંગ રાજકોટમાં માધાપર નજીક 56,658 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી છે. તે પાંચ માળની ઇમારત છે.
નવી ઇમારતમાં કુલ 52 કોર્ટ હશે. તેમાં ન્યાયાધીશો માટે ચેમ્બર, અલગ પાર્કિંગ, એક પુસ્તકાલય, કેન્ટીન, રેકોર્ડ રૂમ, બાર રૂમ, વીડિયો કોન્ફરન્સિંગ હોલ, સરકારી વકીલો માટે ચેમ્બર વગેરે સુવિધાઓ હશે.












Click it and Unblock the Notifications
