રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, 50 કર્મી પોઝિટિવ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને નર્સો સહિત લગભગ 50 કર્મચારીઓનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે એક અધિકારીએ રવિવારના રોજ માહિતી આપી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને નર્સો સહિત લગભગ 50 કર્મચારીઓનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે એક અધિકારીએ રવિવારના રોજ માહિતી આપી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમાંથી કોઈની હાલત ગંભીર ન હોવાથી તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર સ્ટાફના સભ્યો, જેઓ દર્દીઓના સીધા સંપર્કમાં આવે છે, તેમની કોવિડ 19 માટે તપાસ કરવામાં આવી હતી. પેરામેડિકલ સ્ટાફ, નર્સો અને ડોક્ટરો સહિત લગભગ 50 લોકો સંક્રમિત જણાયા હતા, પરંતુ સારી વાત એ છે કે કોઈ પણ દર્દીને સંક્રમણના ગંભીર લક્ષણો નથી. તેમાંથી મોટાભાગના હોમ આઇસોલેશનમાં છે.
રાજ્યના આરોગ્ય વિભાગના કોવિડ 19 ડેશબોર્ડ મુજબ હાલમાં રાજકોટ જિલ્લામાં 7,653 એક્ટિવ કેસ છે. આરોગ્ય વિભાગના અપડેટ મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં 69,414 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 61,025 પુનઃપ્રાપ્ત થયા છે, જેમાં 736 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
ગુરુવારના રોજ રાજ્યમાં 24,485 કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા, જે તેની સૌથી વધુ એક દિવસીય સ્પાઇક છે, જે આંકડો 10 લાખના આંકને વટાવે છે. એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 1.29 લાખ છે.