રાજકોટમાં બનશે સૌપ્રથમ સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ
First Swaminarayan Kanya Gurukul: રાજકોટ જિલ્લાના કાગદડી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આશીર્વાદ સાથે સ્વામિનારાયણ કન્યા ગુરુકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન કાગદડીમાં 18 એકર જમીનમાં આધુનિક કન્યા ગુરુકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમવારના રોજ શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કન્યા ગુરુકુળમાં દિકરીઓના શિક્ષણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું ઘડતર થશે. ગુરુકુળની દીકરીઓએ એ રીતે આગળ વધવાનું છે કે, તેઓ વિકસિત ભારતના પીએમના સંકલ્પમાં યોગદાન આપે.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કન્યા ગુરુકુલની સ્થાપનાનો સ્વામિનારાયણ સંતોનો નિર્ણય ઐતિહાસિક અને ક્રાંતિકારી છે.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, કન્યા ગુરુકુળમાં દીકરીઓ શ્રેષ્ઠ વિચારો સાથે શિક્ષણ અને જ્ઞાન મેળવીને તેજસ્વિની બનશે.












Click it and Unblock the Notifications
