સમુહ લગ્નો રાજ્યમાં લૈંગિક ગુણોત્તરને ઘટાડવામાં મદદ કરશે : સીઆર પાટીલ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સામૂહિક લગ્ન સમારોહને સંબોધતા, જ્યાં હિન્દુ, મુસ્લિમ અને શીખ યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ સી. આર. પાટીલે રવિવારના રોજ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નો લિંગ ગુણોત્તર સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કારણ કે, સમુહ લગ્ન સમારંભો તેમની દીકરીઓના લગ્નના નાણાકીય ખર્ચ અંગેની માતાપિતાની ચિંતાઓને હળવી કરે છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં સામૂહિક લગ્ન સમારોહને સંબોધતા, જ્યાં હિન્દુ, મુસ્લિમ અને શીખ યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા, પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લિંગ ગુણોત્તર, જે 2011ની વસ્તી ગણતરી મુજબ 1,000 પુરૂષો દીઠ 919 સ્ત્રીઓ છે, તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જો તે આગળ વધતું રહેશે, તો સમાજની સુરક્ષા જોખમમાં મૂકાશે. જેને ટાળવા માટે, ભાજપના નેતાએ કહ્યું, સમાજ અને સરકારે તેમની પુત્રીઓના લગ્નના આયોજન અંગે માતાપિતાની ચિંતાઓ વિશે કંઈક કરવું પડશે.
આ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, જો છોકરીઓની સંખ્યા હાલમાં જે રીતે ઘટતી જાય છે, અમે એવી પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ કે, જ્યાં મહિલાઓ ફક્ત ત્યારે જ સુરક્ષિત રહેશે જો તેઓ તેમના ઘરના દરવાજા અંદરથી બંધ કરીને તેમના ઘરની અંદર રહે. પરિસ્થિતિને ઉગારવા માટે, સમૂહ લગ્નો મહત્વપૂર્ણ છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપશે. છોકરીઓના માતા-પિતાએ તેમની દીકરીના લગ્નના નાણાકીય ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
આ ઉપરાંત પાટીલે જણાવ્યું હતું કે, તેમને લાગશે કે સમાજ, સરકાર અને મોટા પ્રમાણમાં લોકો તેમની સાથે છે અને તેઓ બધા તેમની દીકરીઓના લગ્ન સમયે તેમને મદદ કરશે. જો આવી સ્થિતિ સર્જાય છે, તો તેઓ છોકરો કે છોકરીને એકસરખું જન્મવાની મંજૂરી આપશે અને ગર્ભપરીક્ષણ (લિંગ નિર્ધારણ પરીક્ષણ) માટે નહીં જાય. આ સુરક્ષિત સમાજને જાળવવામાં મદદ કરશે. સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. માતા-પિતા દીકરીઓના જન્મને અટકાવી રહ્યાં છે. કારણ કે, તેઓ દીકરીઓના લગ્ન સમયે દીકરીઓને કરિયાવર (ભેટ) આપવા અને લગ્ન સમારોહમાં મોટો ખર્ચો કરવા પડે છે, જેને ટાળવું જોઈએ. આ જ કારણ છે કે, દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. જો આ વલણ ચાલુ રહેશે, તો આપણે અસુરક્ષિત સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, 2000 ની વસ્તી ગણતરી મુજબ 920 ની સરખામણીમાં 919 નો જાતિ ગુણોત્તર નજીવો ઓછો હતો અને 940 ની રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઓછો હતો. આ વલણને કારણે, ભાજપ સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે 'બેટી બચાવો' ઝુંબેશ શરૂ કરી હતી અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા, તેમને બોન્ડ ફાળવવા, કન્યાઓ માટે શાળા શિક્ષણ મફત બનાવવા વગેરે જેવી અનેક પહેલો હાથ ધરી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર અને યુકેમાં રહેતા વેપારી અલ્તાફ સુમરા દ્વારા સાગર ફાઉન્ડેશન, શહેર સ્થિત ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહમાં 101 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. જેમાં 55 હિન્દુ યુગલો, 45 મુસ્લિમ યુગલો અને છ શીખ યુગલો શામેલ છે. આયોજકોએ યુગલોને આશરે રૂપિયા 1.25 લાખની કિંમતની 154 વસ્તુઓ અને જેમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, કબાટ, પલંગ, રસોડાનાં સેટ વગેરે જેવા ઘરગથ્થુ ઉપકરણોનો સમાવેશ થતો હતો તે કરિયાવર રૂપે આપવામાં આવ્યો હતો. આયોજકોએ નવદંપતિ વતી પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનું પ્રીમિયમ પણ ચૂકવ્યું હતું. આ સાથે રક્તદાન શિબિર પણ યોજી હતી અને લગભગ 1200 યુનિટ રક્ત એકત્ર કરીને પાટિલનું રક્તનું વજન કર્યું હતું.
સી. આર. પાટીલે એમ પણ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી આવા સમૂહ લગ્ન પ્રસંગોને સમર્થન આપશે. જો તમારે પાર્ટી (ભાજપ) ના સહકારની જરૂર હોય, તો હું તમને ખાતરી આપું છું કે, અમે તમારી સાથે ઉભા રહીશું.
પાટીલે એ પણ અવલોકન કર્યું કે, મહિલાઓની જૂની કૌટુંબિક અને સામાજિક અપેક્ષાઓ બદલાઈ રહી છે. હું માનું છું કે, હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. દીકરીઓ શિક્ષણ અને અનુભવ મેળવ્યા બાદ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર થાય છે અને સમાજ તેમની પાછળ ઉભો રહે છે. મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. મારો દીકરો વારંવાર મારા પર મારી દીકરીઓને વધુ પ્રેમ કરવાનો આરોપ મૂકે છે.












Click it and Unblock the Notifications
