Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટઃ વર્ષ ૨૦૨૩માં ટીબીના ૧૭૪૫ દર્દીઓને 'નિક્ષય પોષણ સહાય યોજના'નો લાભ અપાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા 'પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત' અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા ક્ષય નાબૂદીની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

tb

જેના ભાગરૂપે જિલ્લા ક્ષય અધિકારી ડો. જી. જે. મહેતાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩ દરમિયાન સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ૧૫૬૮ દર્દીઓ અને અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ૧૭૭ દર્દીઓ મળી કુલ ૧૭૪૫ દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 'પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત' અભિયાન અંતર્ગત નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ. ૫૦૦ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. આ રીતે સરકાર દ્વારા ક્ષયના દર્દીઓને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X