Rajkot Fire Update: રાજકોટ અગ્નિકાંડમાં 24 મૃતકોને અપાઇ 93 લાખની આર્થિક સહાય
Rajkot Fire Update: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના 24 મૃતકોના પરિવારજનોને ગુજરાત સરકાર તરફથી 93 લાખ રૂપિયાની સહાયતા રકમ મળી રહી છે. ત્રણ મૃતકના પરિવારજનોને ટેકનિકલ કારણોસર સહાયતા રકમ મળી શકી નથી. ગુરુવારના રોજ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના કલેક્ટર કાર્યાલયમાં અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જાણકારી આપી હતી.
રાઘવજી પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે TRP ગેમ ઝોનમાં આગની ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાતોરાત રાજકોટ મોકલી દેવાયા હતા. તેઓ સવારે 3 વાગ્યા સુધી જાગતા રહ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેમણે અધિકારીઓને જરૂરી માહિતી આપી હતી.
આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સવારે રાજકોટ પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે ગયા હતા. અહીં તેમણે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓને આદેશ આપ્યા હતા. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 24 મૃતકોના પરિવારોને 93 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ટેકનિકલ કારણોસર ત્રણેય મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવી નથી. ડીએનએ ટેસ્ટ બાદ 27 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી SIT અધિકારીઓ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકારે પહેલાથી જ કડક પગલાં લીધા છે, અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં કલેક્ટર પ્રભાવ જોષી, મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી કમિશનર ડી. પી. દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, સિવિલ સર્જન આર. એસ. ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, ધવલ ઠક્કર, મહેશ રાઠોડ, કિરીટસિંહ જાડેજાના નામનો સમાવેશ થાય છે. આગની ઘટનામાં મુખ્ય આરોપીઓ પૈકી એક પ્રકાશ હિરન જૈનનું મોત થયું છે. જ્યારે એક આરોપી અશોકસિંહ જાડેજા ફરાર છે.
ઉલ્લેખનીય છે કે, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ચાર સરકારી અધિકારીઓની ધરપકડની પુષ્ટિ કરી છે. જોશી અને વિગોરાને સરકારે પહેલા જ સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગની ઘટના બાદ તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
