Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં બે અને ઉત્તર ગુજરાતમાં 1નું મોત

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં બે અને ઉત્તર ગુજરાતમાં વરસાદના પ્રકોપથી એક વ્યક્તિના મોત થયા છે. અમરેલી જિલ્લાના બગસરા નજીક રવિવારે મોડી રાત્રે GETCO માં કામ કરતા 30 વર્ષીય મદદનીશ ઈજનેરનો મૃતદેહ મળી આવ્યો હતો.

રાજકોટ, 28 જૂન : છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં બે અને ઉત્તર ગુજરાતમાં વરસાદના પ્રકોપથી એક વ્યક્તિના મોત થયા છે. અમરેલી જિલ્લાના બગસરા નજીક રવિવારે મોડી રાત્રે GETCO માં કામ કરતા 30 વર્ષીય મદદનીશ ઈજનેરનો મૃતદેહ મળી આવ્યો હતો.

પીડિત ખુશાલ વેકરિયા શનિવારના રોજ જામકા ગામ નજીક કોઝવેમાં તણાઈ ગયો હતો, જ્યારે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. તેનું બાઇક સ્લીપ થયું અને જોરદાર કરંટ લાગ્યા બાદ તે પાણીમાં તણાઇ ગયો હતો.

65 વર્ષીય કારખાનેદારનું વૃક્ષ ધરાશાયી થતાં મૃત્યુ થયું

65 વર્ષીય કારખાનેદારનું વૃક્ષ ધરાશાયી થતાં મૃત્યુ થયું

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક ટીમે તેના મૃતદેહને છાણમાંથી બહાર કાઢવો પડ્યો હતો. અન્ય એક ઘટનામાં, મોરબીજિલ્લામાં એક 65 વર્ષીય કારખાનેદારનું વૃક્ષ ધરાશાયી થતાં મૃત્યુ થયું હતું.

મોરબી જીઆઈડીસીમાં નટ અને બોલ્ટ બનાવવાનું યુનિટધરાવતા મૃતક જગદીશ કોટેચા વાંકાનેર નજીક રાજકીય સભામાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ધોધમાર વરસાદ વરસવા લાગ્યોએટલે તેણે સ્કૂટર ઝાડ નીચે પાર્ક કર્યું હતું. કોટેચાનું રવિવારના રોજ રાજકોટની હોસ્પિટલમાં અવસાન થયું હતું.

પત્ની અને બે વર્ષના પુત્રનો આબાદ બચાવ

પત્ની અને બે વર્ષના પુત્રનો આબાદ બચાવ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીપુર ગામના એક 24 વર્ષીય વ્યક્તિનું રવિવારની સાંજે ઝાડ પડતાં મોત નીપજ્યું હતું. મૃતકનીઓળખ ભાવેશ ખાંટ તરીકે થઈ હતી, જ્યારે આ ઘટના બની ત્યારે તેની પત્ની અને બે વર્ષના પુત્ર સાથે બાઇક પર સવાર હતા.

ખાંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ખાંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

અરવલ્લી જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાંટ સુરતનાપુરા ગામમાં તેના સાસરિયાના ઘરેથી પોતાના ગામ પરત ફરી રહ્યો હતો.

તેઓ પીપરાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પર એક ઝાડ પડ્યું હતું. જ્યારે ખાંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,જ્યારે તેની પત્ની અને પુત્ર કોઈ નુકસાનથી બચી ગયા હતા.

ગ્રામજનોને નદીની નજીક ન જવા વિનંતી

ગ્રામજનોને નદીની નજીક ન જવા વિનંતી

આ સમયગાળા દરમિયાન, અરવલ્લી જિલ્લા અધિકારીઓએ હાથમતી નદી નજીકના ગામોમાં એલર્ટ જાહેર કરી છે, જે બે કાંઠે વહી રહી છે.

અરવલ્લી જિલ્લા અધિકારીઓએ ગ્રામજનોને નદીની નજીક ન જવા વિનંતી કરી છે. કારણ કે, પાણીનો પ્રવાહ ખૂબ ભારે હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X